By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યના 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ : CM રૂપાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યના 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ : CM રૂપાણી
GandhinagarGeneral

રાજ્યના 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી કર્ફ્યૂ : CM રૂપાણી

HM News
Last updated: 07/04/2021 9:17 AM
HM News
4 years ago
Share
SHARE

– રાજકીય-સામાજિક મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો, લગ્ન સમારંભોમાં પણ હવેથી ૧૦૦ લોકોને માન્ય ગણ્યા છે

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને પગલે ગુજરાત હાઈકોર્ટે,ગુજરાત સરકારને સલાહ સાથે માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરતથી સાંજે ગાંધીનગર પરત ફર્યા બાદ તેમના અધ્યક્ષ સ્થાને કોર કમીટીની બેઠક બોલાવી હતી.જેમાં તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધાં છે.જે મુજબ, હવે,રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ જેવા ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર,જૂનાગઢ,જામનગર અને ભાવનગર જેવા આઠેય મહાનગરપાલિકા વિસ્તાર તથા આ ઉપરાંતના અન્ય આણંદ,નડિયાદ,મહેસાણા,મોરબી,પાટણ,ગાંધીધામ,ગોધરા,દાહોદ,ભૂજ,ભરુચ,સુરેન્દ્રનગર,અમરેલી જેવા ૧૨ શહેરો સહિત કુલ ૨૦ શહેરોમાં રાતના ૮થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરી છે.એવી જ રીતે લગ્ન સમારંભોમાં પણ હવેથી ૧૦૦ લોકોને માન્ય ગણ્યા છે.રાજકીય-સામાજિક મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે.સરકારી કચેરીઓમાં પણ શનિ અને રવિ એમ બે દિવસ માટે રજા જાહેર કરી છે.ઓક્સિજન ઉત્પાદનોને તેમનું ૭૦ ટકા ઓક્સિજનનો પુરવઠો આરોગ્ય હેતુ માટે આપવાનો આદેશ અપાયો છે.

સુરતથી પરત ફરીને મુખ્યમંત્રીએ દિલ્હી સ્થિતિ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, વડાપ્રધાનના અગ્ર સચિવ, આરોગ્ય મંત્રાલયના સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ મારફત ચર્ચા કરીને ગુજરાતની કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તે મુજબ ભારત સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાત લેશે.તેમના રિપોર્ટના આધારે ભારત સરકાર,આગામી દિવસો માટે ગુજરાતને વધુ માર્ગદર્શન આપશે.

કોર કમીટીની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરાયા ઉપરાંત ભારત સરકારના માર્ગદર્શનના આધારે તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધાં છે. એમાં એવું નક્કી કરાયું છે કે, (૧) ટેસ્ટીંગ વધારાશે (૨) ટ્રેસીંગ વધારાશે એટલે કે, કોરાનાગ્રસ્તના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ શોધીને તેમનું પણ ટેસ્ટીંગ કરાશે (૩) કન્ટેઈનમેન્ટ એન્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સરકારની સૂચનાઓને કડકમાં કડક રીતે અમલ કરાશે. (૪) રેમડેસિવિર ઈન્જેકશનનો પણ ૩ લાખ ઈન્જેકશનનો ઓર્ડર અપાયો છે. જેનો પુરવઠો ઉપલબ્ધ થતાંની સાથે જ તે હોસ્પિટલો અને દરેક જિલ્લાના મુખ્ય મથકોમાં પોહંચાડી દેવાશે.(૫) ઓક્સિજન ઉત્પાદકોને પણ કહેવાયું છે કે, તેમના દ્વારા થતાં ઓક્સિજનના ઉત્પાદનના ૭૦ ટકાનો પુરવઠો આરોગ્ય વિભાગ હસ્તક સુપરત કરવો પડશે. તેઓ માત્ર ૩૦ ટકા પુરવઠાનો જ અન્ય કામો માટે ઉપયોગ કરી શકશે (૬) નાના નર્સિંગ હોમને પણ કોરોનાની સારવારની છૂટ અપાઈ છે. કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્ટેલો કે કોમ્યુનીટિ સેન્ટરોમાં પણ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને સારવાર આપી શકાશે. (૭) સરકારી હોસ્પિટલોમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને જ આઈસીયુ બેડ. વેન્ટીલેટર બેડ કે ઓક્સિજન બેડ ધરાવતી હોસ્પિટલોમાં સારવાર અપાશે.

આ તબક્કે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે, કોરોના સંક્રમણ બાબતે ચિંતા વ્યક્ત કરીને ગુજરાત સરકારને સલાહ આપી હતી, માર્ગદર્શન પણ આપ્યું હતું.તેના સંદર્ભમાં રાજ્ય સરકારે કોર કમીટીની બેઠકમાં ચર્ચા કરી હતી અને અંતે કેટલાક અન્ય નિર્ણયો લીધા હતા. જે મુજબ (૧) અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના ૮ મહાનગરો ઉપરાંત અન્ય ૧૨ શહેરો મળીને કુલ ૨૦ શહેરોમાં રાતના ૮ વાગ્યાથી સવાર ૬ વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે.એવી જ રીતે (૨) અત્યાર સુધી લગ્ન સમારંભોમાં ૨૦૦ લોકોને સામેલ થવાની પરવાનગી અપાતી હતી.તેના બદલે હવે,૧૦૦ લોકોને જ સામેલ થવાની પરવાનગી અપાશે. (૩) રાજકીય અને સામાજિક સમારોહ જેવા મેળાવડામાં પણ પ્રતિબંધ મૂકાયો છે. એમાં ૫૦થી વધુ લોકોને સામેલ થવા નહીં દેવાય. (૪) રાજ્ય સરકારની કચેરીઓ અત્યાર સુધી મહિનામાં બે વાર શનિવાર અને રવિવારે બંધ રહેતી હતી પરંતુ હવે તેના બદલે, આખા મહિનાના ચારેય શનિવાર-રવિવારે સરકારી કચેરીઓને સંપૂર્ણ રજા રાખવાનો આદેશ અપાયો છે. (૫) એપીએમસીને પણ સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ અપાયો છે.

સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ઉદ્ધવ સરકારને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી
આપણા દેશના રાજકીય નેતાઓએ ઇઝરાયલ પાસેથી શીખ લેવી જોઇએ, ઇઝરાયલનું આ વ્યવસ્થિત પ્લાનિંગ કામ કરી ગયું
દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં
રુપાણી તો ગયા, એમનું રાજ પણ ગયુ : પાટીલે કદ પ્રમાણે વેતર્યા, મંત્રીમંડળમાં કોઈને ન મળ્યું સ્થાન
પાવાગઢ દર્શન કરીને સુરતનો પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ આંબ્યો, કન્ટેનર પાછળ કાર ઘૂસતાં 4 લોકોના મોત
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના ચકચારી હીટ એન્ડ રન કેસનો ફરાર આરોપી અતુલ વેકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયો, કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
Next Article ઓહ ગોડ ! બીમાર માસૂમ પુત્રને લઈને દોડતા પિતાની મદદે કોઈ ન આવ્યુ : પુત્રનુ મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up