મુંબઈ : મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારને મોટો ઝટકો આપતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યના ૬૨ તાલુકામાં આવેલી ૨૭૧ ગ્રામ પંચાયતમાં શરૃ થયેલી ચૂંટણી પ્રક્રિયાને સ્થિગિતી આપવાનો ઈનકાર કર્યો છે.અહીં ચોથી ઓગસ્ટે ચૂંટણી હાથ ધરાશે.આ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ૨૭ ટકા રાજકીય આરક્ષણ વિના યોજાશે.અહીં આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે.આ તાલુકાઓને સુપ્રીમ કોર્ટે ૧૭ મેના રોજ આપેલા આદેશ અનુસાર ઓછા વરસાદ વાળા વિસ્તાર તરીકે પસંદ કરાયા છે.
પછાત વર્ગના આરક્ષણ વિના તેમ જ ભારે વરસાદનું કારણ આગળ ધરીને ચૂટણીઓ મોકૂફ રાખવા માટે શાસક અને વિપક્ષે રાજ્ય ચૂંટણી પંચે સમક્ષ કરલી જોરદાર રજૂઆતના ગણતરીના દિવસોમા ંસુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ચૂંટણીને લઈને જાહેરનામા બહાર પાડી દેવાયા છે ત્યાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહ ેશે પરંતુ નવી અધિસૂચનાઓ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે.સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે જે વિસ્તાર માટે નોટિફિકેશન જારી થઈ ચૂક્યું છે ત્યાં ઉમેદવારને આરક્ષણ નહીં મળે.એ વિસ્તાર ઓબીસી આરક્ષણથી બાકાત રહેશે. સુપ્રીમ કોર્ટ હવે આ બાબતની આગામી સુનાવણી ૧૯ જુલાઈએ કરશે.
સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને આધારે કોર્ટ આદેશ આપી શકે છે.પરંતુ કોર્ટે જણાવ્યું હતંં કે જ્યાં પણ નોટિફિકેશન જારી થઈ ચૂક્યા છે ત્યાં અમે હસ્તક્ષેપ કરીશું નહીં,પણ જ્યાં નોટિફિકેશન જારી નથી થયા ત્યાં અમે મંગળવાર(૧૯ જુલાઈ)ની સુનાવણીમાં નક્કી કરશું.રાજ્ય ચૂંટણી પંચે પણ જણાવ્યું હતું કે ચૂંટણીનું નોટિફિકેશન જારી થઈ ગયું ચે પણ જિલ્લા પરિષદ અને નગર નિગમની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા હજી શરૃ થઈ નથી.આને પગલે કોર્ટે જણાવ્યું હતું કે નોટિફિકેશન જારી થયું એ થયું.હવે એના અનુસાર પ્રક્રિયા આગળ વધારવામાં આવે.પરંતુ જે ચૂંટણીનું નોટિફિકેશન જારી થયું નથી એને રોકવામાં આવે.પહેલા તબક્કાની ચૂંટણી ૧૩ જુલાઈએ થશે જ્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ૨૭૧ ગ્રામ પંચાયતો માટે નામાંકન પ્રક્રિયા આવતી કાલથી શરૃ થઈ રહી છે.