રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોનો વધારો થતાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ અઘરું : DGP શિવાનંદ ઝા

HM News
2 Min Read

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ વધારેને વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જાણકારી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે, અમદાવાદમાં ગઇકાલથી અને સુરતના પાંચ વિસ્તારમાં બુધવારે કરફ્યૂનો આદેશ આપવામાં આવ્યો છે.કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ભંગ કરતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.હજી ઘણા સ્થળોએ લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યો છે.ખરીદી માટે નીકળતા લોકો અંતર જાળવતા નથી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરાય તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિવાનંદ ઝાએ માહિતી આપી છે કે લોકોને બચાવવા માટે જે પગલાં જરૂરી છે એ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યાથી સુરતના પાંચ વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.આ સિવાય ડિટેઇન કરેલા વાહનો છોડવાની જાહેરાત કરવામાં આવી છે અને લોકોને વહન પરત મળે એ માટે કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.૩૧ હજારથી વધુ વાહનો છોડવામાં આવ્યા છે.ખાનગી સોસાયટીઓના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરમાં ખાનગી સોસાયટીના રહીશો સામે ગુનો નોંધાયો છે.અત્યારે વડોદરામાં કરફ્યુ લાદવાની કોઈ વિચારણા નથી.

*બુધવાર (તા.15/04/2020) થી ગુરુવાર સુધીના ગુનાઓની વિગત*

* જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2417

* કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા
ભંગના ગુનાની સંખ્યા
(IPC 269, 270, 271) : 943

* અન્ય ગુનાઓ : 446
(રાયોટીંગ/Disaster Management Actના)

* આરોપી અટકની સંખ્યા : 5346

* જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 2680

*ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 278

*CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 61

* અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 14

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *