– રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 85 ટકા થયો
– રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ : રાજ્યમાં એક મહિના બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોએ રાહત અનુભવી છે.ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.જેમાં 76 તાલુકાઓમાં એક ઇંચથી સવા પાંચ ઇચ સુધીનો વરસાદ થયો હતો. વલસાડના કપરાડામાં સવા પાંચ ઇચ વરસાદ,ડાંગના સુબીરમાં પાંચ ઇંચ,ડાંગના આહવામાં સાડા ચાર ઇંચ,વલસાડના ધરમપુર અને નવસારીના ખેરગામમાં ચાર ઇંચ વરસાદ થયો હતો.જ્યારે અંકલેશ્વર સવા ત્રણ ઇંચ,સુરતના માંગરોળમાં ત્રણ ઇંચ, તાપીના ઉચ્ચલ અને મહેસાણા,ભરુચના વાગરા અને સુરતના મહુવામાં અઢી ઇંચ,વરસાદ થયો હતો.આ ઉપરાંત નડિયાદ,ચીખલી,વાસંદા,વઘઇ,બારડોલી,મહુધા,કડી,વાપી,પારડીમાં બે ઇંચ સુધી વરસાદ નોંધાયો ગતો.જ્યારે 50 જેટલા તાલુકાઓમાં એકથી સવા ઇંચ સુધી વરસાદ નોંધવામાં આવ્યો હતો.આ સાથે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 85 ટકા સુધી થયો છે.તો બીજી તરફ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે જ સુરત,નર્મદા,ડાંગ,નવસારી,વલસાડ,તાપી,દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો આવતીકાલે અરવલ્લી, દાહોદ,મહિસાગરમાં ભારે વરસાદ રહેશે.જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે.ત્યારે કચ્છમાં હાલ વરસાદની કોઈ આગાહી કરાઇ નથી.તો અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો.