અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે.સતત 4 દિવસથી રાજ્યમાં 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા છે.જ્યારે 131 દર્દી સાજા થયા છે.રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.00 ટકા પર સ્થિર રહ્યો છે.હાલમાં 1374 એક્ટિવ કેસ છે.તો સતત ચોથા દિવસ રાજ્યમાં શૂન્ય મોત નોઁધાયું છે રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે.તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 323 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1374 એક્ટિવ કેસ છે,5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1369 દર્દીઓની હાલત સ્થિર છે
રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે.આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું.અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું.5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા.અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા.ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું.રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા.જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.
શહેરમાં કોરોના સંક્રમણ અને કેસને અંકુશમાં રાખવાની કવાયતનાં ભાગરૂપે કાલુપુર રેલ્વે સ્ટેશને શરૂ કરાયેલાં કોરોના ટેસ્ટીંગમાં ગઇકાલે પંજાબથી આવેલાં એક પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીનાં જણાવ્યા અનુસાર,ગઇકાલે ૧૮મી તારીખનાં રોજ ગીતામંદિર ખાતે કરાયેલાં આરટીપીસીઆર ટેસ્ટમાં કોઇ પોઝિટિવ રિપોર્ટ આવ્યા નથી,પરંતુ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે થયેલાં ૧૬ જેટલાં આરટીપીસીઆર ટેસ્ટમાં પંજાબથી આવેલાં એક પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેમને ઘરે રહી સારવાર લેવાની સૂચના આપી દેવામાં આવી છે.તેમણે કહ્યું કે,રવિવારે પણ ગીતામંદિર એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.તેમજ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ૧૮ પેસેન્જરનાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેનો રિપોર્ટ આવતીકાલે સોમવારે મળશે.