રાજ્યમાં ત્રણ દિવસ બાદ લોકોને વરસાદથી રાહત મળે તેવી શક્યતા

HM News
1 Min Read

અમદાવાદ : દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત બાદ વરસાદ હાલ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,હજુ સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય છે.જેના કારણે દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની વકી છે.જો કે રાજ્યમાં ત્રણ દિવસ બાદ વરસાદથી લોકોને રાહત મળે તેવા સંકેતો જણાઇ રહ્યાં છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે,આખા ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ વરસાદ યથાવત રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં 13 અને 14 તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.ગુજરાત વિસ્તારમાં 15 તારીખથી વરસાદની પ્રવૃત્તિ ઘટશે.જોકે,અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.હજુ ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી સારા વરસાદની શક્યતા ઓછી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ બાદ એટલે કે 72 કલાક બાદ ગુજરાત માટે રાહતના સમાચાર આવી શકે છે.15 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *