રાજ્યમાં 10 વર્ષ બાદ લાગુ થશે ઈમ્પેક્ટ ફી કાયદો, નિયમ આધીન અનધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે

HM News
4 Min Read

આવતીકાલે મળનારા વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતે વિધયક 2022 રજુ કરવામાં આવશે.મંત્રી ઋષિકેશ પટેલ સદનમાં આ વિધયક રજૂ કરશે.અગાઉ રાજ્ય સરકાર 2001 અને 2011માં ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરવાનો વિધયક લાવી હતી.તેમ છતાં હજી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરી શક્યા નથી.

શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ વધ્યા

રાજ્યમાં શહેરી વિસ્તારમાં થતા સ્થળાંતરને લીધે મકાનોની માગ વધી છે.મકાનોની માગ વધવાથી ગેરકાયદેસર બાંધકામ પણ વધ્યા છે.રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામ તોડવાની પણ ઝૂંબેશ અગાઉ હાથ ધરી હતી.પણ તેનાથી સમાજને સામાજિક અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.જેથી રાજ્ય સરકારે સર્વે કરાવ્યો અને અંતે નિર્ણય લીધો કે ફરી વાર રાજ્યમાં ઇમ્પેક્ટ ફી લઈને અનધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવે.આથી આવતીકાલે રાજ્યમાં અનધિકૃત બાંધકામને નિયમિત કરવા બાબતે વિધયક રજૂ કરવામાં આવશે.રાજ્ય સરકાર જે વિધયક લાવી રહી છે.તેનો અમલ 30 અપ્ટેમ્બર 2022 પહેલા ગેરકાદેસર થયેલા બાંધકામને લાગુ પડશે.આ વિધયક હેઠળ વ્યક્તિને વિધયક લાગુ થયાના 4 મહિનામાંની અંદર અરજી કરવાની રહેશે.

રાજ્યમાં 10 વર્ષ બાદ ઈમ્પેક્ટ ફી કાયદો લાગુ થશે

ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2011માં આ લાગુ કરવામાં આવ્યું હતું.જેમાં અનેક મિલકતો જે ગેરકાયદેસરની હતી,તે કાયદેસર કરવામાં આવી હતી.ત્યારબાદ હવે દસ વર્ષ પછી આ જ ફરીથી નિયમ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે,આ નિયમથી રાજ્યમાં મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા અને જિલ્લામાં અન અધિકૃત થયેલા બાંધકામોને અધિકૃત કરવામાં આવશે.જ્યારે એક ઓક્ટોબર 2022 પહેલાના બાંધકામોને જ આનો લાભ પ્રાપ્ત થશે.જ્યારે આ નિયમ રાજ્યની તમામ કોર્પોરેશન અને નગરપાલિકામાં લાગુ પડશે.

અરજદારે 4 મહિનામાં અરજી કરવાની રહેશે

રાજ્યપાલની સહીથી રાજ્ય સરકાર દ્વારા આજે આ વોટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે.આવનારા ચાર મહિના સુધી રાજ્યના અનઅધિકૃત રીતે થયેલ બાંધકામના માલિકો કોર્પોરેશનમાં જે તે અધિકારીને અરજી કરી શકશે.અરજી થયા બાદ રૂ. 3000ની પ્રાથમિક તબક્કાની ફી ભરવી પડશે અને તે બાબત સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરીને પરવાનગી આપવામાં આવશે.જો કોઈ પણ સંજોગોમાં સ્થાનિક પ્રશાસન દ્વારા અરજીને માન્ય ગણવામાં નહીં આવે તો અરજી કરતાં માટે એપેલેટ ઓથોરિટીની પણ રચના રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવી છે,તેમાં જઈને પણ અરજી કરતા અરજી કરી શકશે.આ કાયદા હેઠળ જે બાંધકામ અને નોટિસ આપવામાં આવી હશે,તેમનો આ નિયમમાં સમાવેશ થઈ શકશે નહીં.

ક્યાં અનધિકૃત મિલકતને પરમિશન નહીં મળે

જે કિસ્સામાં મળવા પાત્ર એફએસઆઈ 1.0 થી ઓછી હશે તેવી મિલકતો પરમિશન આપવામાં આવશે નહી.રહેણાંક ઉપયોગ સિવાયના વાણિજ્ય શૈક્ષણિક આરોગ્ય ઔદ્યોગિક વગેરે બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર એફએસઆઈ કરતા 50 ટકા વધારે એફએસઆઈ થતી હોય તેવા પરમિશન આપવામાં આવશે નહી.પ્લોટની બહાર થયેલા બાંધકામને પરમિશન આપવામાં આવશે નહી.પાણી પુરવઠા ગટર વ્યવસ્થા પાણીના નિકાલ ઇલેક્ટ્રીક લાઈન ગેસ લાઇન અનેક જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામને પણ પરવાનગી આપવામાં નહીં આવે.ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય તો ચેનલ સ્ટેબિલિટીની જરૂરિયાત જડવાથી ન હોય તેના કાયદા હેઠળ ઠરાવેલા બિનઅધિકૃત બાંધકામ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ લિસ્ટમેંટ કાયદા મુજબ સુસંગત ન હોય તેવા બાંધકામોને પણ મંજૂરી આપવામાં નહીં આવે.

કેટલી ફી ભરવાની રહેશે

– 50 ચોરસ મીટર સુધી રૂ. 3000
– 50 થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000
– 100 થી 200 ચો.મી. રૂ. 6000 + 6000
– 200 ચો.મી. થી 300 ચો.મી. રૂ. 12,000+ 6000
– 300 ચો.મી. વધુ રૂ. 18,000 વત્તા વધારાના 150 રૂપિયા દર ચોરસ મીટર

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *