નવી િદલ્હી : ૧૦મી જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ પક્ષમાંથી જ નારાજગીના સૂર વ્યક્ત કરાઇ રહ્યા છે.એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલા નગ્મા સહિત અનેક નેતાઓએ ઉમેદવારી સામે સવાલો ઊભા કર્યા છે.દરમિયાન પી.ચિદમ્બરમ,જયરામ રમેશ,વિવેક તન્ખા અને ઇમરાન પ્રતાપગઢીએ તેમના નોમિનેશન પેપર્સ સોમવારે ફાઇલ કર્યા હતા.કોંગ્રેસે રવિવારે ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ,જયરામ રમેશ અને અજય માકન તેમજ પાર્ટીના વડા રણદીપ સુરજેવાલાનું નામ તેમાં સામેલ કરાયું છે.ટ્વિટર પર કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું કે‘કદાચ મારી તપસ્યામાં જ કોઈ કમી રહી ગઇ’.નગ્માએ કહ્યું હતું કે મારી તપસ્યા ઇમરાન ભાઇ સામે ટૂંકી પડી છે.સોનિયાજીએ મને વ્યક્તિગત રીતે રાજ્યસભામાં લઇ જવાનું વચન આપ્યું હતું.જોકે આ નેતાઓના પ્રતિસાદમાં કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કિશને કહ્યું હતું કે સલામ ખુરશીદ,તારિક અનવર અને ગુલામ નબી આઝાદની તપસ્યા ૪૦ વર્ષથી પણ વધુની છે,પરંતુ તેમણે પણ ‘શહાદત’ વ્હોરી છે.ભાજપના ગોયલ સહિત ત્રણ ઉમેદવારોએ નોમિનેશન્સ ફાઇલ કર્યા મુંબઇ:ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ,અનિલ બોન્ડે અને ધનંજય મહાદિકે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે નોમિનેશન પેપર્સ ફાઇલ કર્યા છે.રાજ્યમાં કુલ છ બેઠકો પર ચૂંટણી થવાની છે.પાર્ટીના સીનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે ભરોસો આપ્યો છે કે તમામ ઉમેદવારો જીતશે.ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપ પાસે બે સીટો જીતવા સુધીના પૂરતા મતો છે.