પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નવસારીમાં ભાજપનાં સ્નેહમિલનમાં શિક્ષકો તેમની મૂળ ફરજથી વિમૂખ થઈ રજાઓ,પગાર વધારો અને મોંઘવારીની ચિંતા કરી રહયા છે તેઓ તેમની ગુરુની જવાબદારી પ્રત્યે ધ્યાન આપે તેવુ નિવેદન આપતા રાજયનાં શિક્ષક સમાજમાં ભારે રોષ જોવા મળી રહયો છે.ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘે પાટીલ તેમનું નિવેદન પાછુ ખેંચે તેવી માગણી કરી છે.
શિક્ષકો પાસે ખૂદ સરકાર જ શિક્ષણ સિવાયની અન્ય કામગીરી કરાવી રહી છે,ત્યારે પાટીલનાં નિવેદનથી શિક્ષકોની ગરીમાને ઠેસ પહોંચી છે.રાજયભરનાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.પ્રદેશ ભાજપ પ્રમુખનાં નિવેદનને શિક્ષકોનાં સંગઠનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢયુ છે.શિક્ષકો ચૂંટણીની કામગીરી,કોવિડની ઈમરજન્સી,અનાજ વિતરણ,સરકારી સર્વે,બાળકોને ઘરે ઘરે જઈ હોમલર્નિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.શૈક્ષણિક સહિતની અનેક કામગીરીનો બોજ શિક્ષકો પર નાંખવામાં આવી રહયો છે છતાં તે જવાબદારી નિભાવવામાં આવે છે ત્યારે પાટીલનું આવુ નિવેદન યોગ્ય નથી.
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘે પાટીલને પત્ર લખીને જણાંવ્યુ છે કે શિક્ષકોનાં પડતર પ્રશ્નો ઉકેલવામાં અને કેન્દ્રનાં ધોરણે રાજયનાં શિક્ષકોને આર્થિક લાભો મળે તે માટે તેઓ મદદરુપ થાય અને શિક્ષકને શિક્ષણ સિવાયની અન્ય તમામ કામગીરી માંથી મુકત કરવામાં આવે.કોવિડનાં કપરા કાળમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર શિક્ષકો માટે આવા નિવેદનો કરવા એ યોગ્ય નથી તેમની લાગણીને ઠેસ પહોંચી હોય આ નિવેદન પાછુ ખેંચવામાં આવે તવી માગણી કરવામાં આવી છે.