લોકડાઉનના ત્રીજા તબક્કામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટછાટો આપવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેર માટે મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, 14 મેથી રાજકોટમાં ઉદ્યોગોને મંજૂરી આપી દેવાઈ છે.તેથી હવે 14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થઈ જશે.લોકડાઉનમાં ઉદ્યોગોને ફરી જીવંત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.તો રાજકોટમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ શકશે.
તેમણે જણાવ્યું કે,જિલ્લા કલેક્ટર ઉદ્યોગોને ચાલુ કરવા માટેનો શરતો નક્કી કરીને શરૂ કરવા મંજૂરી માંગી શકે છે.જિલ્લા કલેક્ટર કક્ષાએથી પરમિશન આપવામાં આવશે.સાથે જ ઉદ્યોગોએ જરૂરી બાબતોનું ધ્યાન રાખવુ પડશે.જેમ કે,સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું.માસ્કનો ઉપયોગ, કામદારોના આવવાનો જવાનો સમય સ્ટોગર કરવામાં આવે. લંચ સમયે એકસાથે તમામ કામદારો એક સમયે ભેગા ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું.તેમજ કર્મચારીઓના લંચ અને ચા-નાસ્તાનો સમય પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને કરાવવું.શ્રમિકો આવે ત્યારે તેમનુ હેલ્થ પરીક્ષણ કરી લેવામા આવે, ટેમ્પરેચર મપાય તે ખાસ કરવું.આમ,હવે રાજકોટમાં પણ ગુરુવારથી ચાલુ કરવા માટેની જાહેરાત આજે કરાઈ છે.