By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્ય સરકારોની આવક ઘટી જશે તો પોતપોતાની રીતે સેસ લાગુ કરી શકે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્ય સરકારોની આવક ઘટી જશે તો પોતપોતાની રીતે સેસ લાગુ કરી શકે
AhmedabadGeneral

રાજ્ય સરકારોની આવક ઘટી જશે તો પોતપોતાની રીતે સેસ લાગુ કરી શકે

HM News
Last updated: 22/06/2022 7:09 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : મંગળવાર : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી અઠવાડિયે મળનારી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા વળતર આપવાનું બંધ કરવાને કારણે રાજ્ય સરકારોને આવકમાં પડનારી ઘટને મુદ્દે ચર્ચા કરવાની સાથે સાથે જ રાજ્ય સરકારો પોતા પોતાની રીતે આવક વધારવા માટે વધારાની સેસ લાગુ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે.રાજ્ય સરકારો તેમની આવક વધારવા માટેના નવા રસ્તાઓ શોધવા માંડે તેવી પૂરી સંભાવના છે.ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ્સે તેમની જીએસટીની આવક વધારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડી શકે છે.વર્તમાન મહિનાના અંતિમ સપ્તાહમાં હરિયાણા ખાતે મળી રહેલી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ(જીએસટી)કાઉન્સિલની બેઠકમાં કેટલાક કાનૂની ફેરબદલો થવાની શકયતા જોવાઈ રહી છે.

ગુજરાત,મહારાષ્ટ્ર અને તેલંગણા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એમ જણાવતા જીએસટીના જાણકાર હેમ છાજેડ કહે છે કે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થતો મોટાભાગનો સામાન ગુજરાતની બહાર વેચાય અને વપરાય છે. જીએસટીની વ્યવસ્થામાં આઈટેમ જે રાજ્યમાં કન્ઝ્યુમ વધુ થાય તે રાજ્યોની જીએસટીની આવક વધે છે.ગુજરાત જેવી તકલીફ મહારાષ્ટ્ર અને તેલંગણાને પણ પડવાની છે.તેથી વળતર અટકે તો તેને કારણે ઘટનારી આવક અને જીએસટીના મેન્યુફેક્ચરિંગ સ્ટેટને કારણે ઘટનારી આવકને કારણે તેમની પડનારો ફટકો મોટો હશે તેથી ગુજરાત,મહારાષ્ટ્ર અને તેલંગણા જેવા રાજ્યો તેમની આવક વધારવા માટે સેસ લગાવવાના વિકલ્પનો વિચાર કરશે.

દેશમાં જીએસટી લાગુ થયાને ૧લી જુલાઈના પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે તેની પૂર્વસંધ્યાએ એટલે કે ૨૮ તથા ૨૯ જુનના રોજ ચંડીગઢ ખાતે કાઉન્સિલની બેઠક મળી રહી છે.ઈ-કોમર્સના પૂરવઠેદારો માટે ફરજપાલનના ધોરણો હળવા કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાશે એમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.ક્ષતિઓ નાબુદ કરવા કેન્દ્ર તથા રાજ્યોને સત્તા આપવા અંગે પણ નિર્ણય લેવાય તેવી વકી છે.નેશનલ એન્ટી-પ્રોફિટિઅરિંગ ઓથોરિટી(એનએએ)તથા બાકી પડેલા કેસો પર સરકાર વિગતવાર રિપોર્ટ રજુ કરશે તેવી પણ સુત્રો દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી હતી.

દેશની વિવિધ હાઈકોર્ટસમાં ચાલી રહેલા કેસોમાં સરકાર વતિ રજુઆત કરવા ઓથોરિટીએ સોલિસિટર જનરલ તથા કેટલાક વકીલોની સેવા પણ લીધી છે,જે અંગે કાઉન્સિલને જાણકારી અપાશે.ઓથોરિટી સમક્ષ મેના અંત સુધીમાં ૪૦૦ જેટલા કેસો બાકી પડયા હતા અને આ કેસોનો ઝડપી નિકાલ લાવવા ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે.

કોરોના ઇફેક્ટ : FY 20 માં રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 37.6 કરોડનું ધોવાણ
કોરોનાના નવા 8 હજાર કેસ, દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રતિબંધો હટવા લાગ્યા
સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
ઇંદોરમાં લઘુમતી વિસ્તારમાં ટેન્શન
ગુજરાત : કયા કયા ધારાસભ્યો બનશે મંત્રી, શપથ ગ્રહણ માટે કોને આવ્યો ફોન? જાણો લિસ્ટ
Share This Article
Facebook Email Print
Previous Article રોહિંગ્યા પર રોદણાં રડનારાઓ અફઘાની શીખો મામલે ચૂપ, સેક્યુલરો બને છે કટ્ટરવાદીઓના બૌદ્ધિક રક્ષકો !
Next Article અર્થતંત્રને ૫ લાખ કરોડનું કરવા કેમિકલ ઉદ્યોગને પર્યાવરણની મંજૂરી ઝડપી અપાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up