મુંબઈ : વિધાનસભ્ય રવી રાણા અને પત્ની સાંસદ નવનીત રાણાને ખાર ખાતેના ફ્લેટમાં કથિત ગેરાકાયદે બાંધકામ પ્રકરણે કોર્ટે રાહત અપાવાનો ઈનકાર કર્યો છે.ખાર ખાતેના ફ્લેટમાં રાણા દંપતીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની ફરિયાદ મહાપાલિકા પાસે કરાઈ હતી.ત્યાર બાદ મહાપાલિકાએ તેમને નોટિસ બજાવી હતી.ગોરેગાંવ ખાતે દિંડોશી કોર્ટે રાણા દંપતીને પાલિકાની નોટિસના વિરોધમાં કરેલી અરજીનો નિકાલ કર્યો હતો.કોર્ટે ખારના ફ્લેટમાં બાંધકામ નિયમિત કરવા પાલિકા પાસે વિધિવત દાદ માગવાનો નિર્દેશ રાણા દંપતીને આપ્યો છે.મહાપાલિકાએ પણ આ અરજી પર મહિનામાં નિર્ણય લેવો એવો નિર્દેશ આપ્યો છે.પાલિકાએ લીધેલો નિર્ણય રાણાના વિરોધમાં હશે તો તેમને બે સપ્તાહ સુધી કાર્યવાહી નહીં કરવાનો કોર્ટે પાલિકાને નિર્દેશ આપ્યો ર્ છે.આ દરમ્યાન રાણા કોર્ટમાં કાયદેસર રીતે અપીલ કરી શકશે.આ આનુસાર રાણા દંપતીએ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી.ખાર પિરસરમાં લાવ્હી ઈમારતના આઠમા માળે રવી રાણાનો ફ્લેટ છે.રવી રાણાએ તેમના ઘરમાં મંજૂર પ્લાન ઉપરાંત કેટલાંક આંતરિક ફેરફાર કર્યા છે.આ ઘરની બાલકની વધારી છે.મુંબઈ મહાપાલિકાએ આ ફેરફાર સામે વાંધો ઉઠાવ્યો છે.મુંબઈ મહાપાલિકા તરફથી તેમને કારણદર્શક નોટિસ અપાઈ હતી.પાલિકાની ટીમ ચોથી મેના રોજ ખાર ખાતે નિરીક્ષણ માટે ગઈ હતી.