મુંબઈ : અમરાવતીના સ્વાયત્ત સાંસદ નવનીતિ રાણા અને વિધાનસભ્ય પતિ રવિ રાણાને હનુમાન ચાલિસા વિવાદ પ્રકરણે જામીન મંજૂર કરતી વખતે વિશેષ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ તબક્કે દેખિતી રીતે રાજદ્રોહના આરોપને લગતું કોઈ નિર્ણાયક સાહિત્ય તેમની સામે નથી.વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્રતાની હદ પાર કરાઈ છે પણ એટલું પુરતું ન હોવાની નોંધ.અરજદાર રાણા દંપતીએ આપેલા ભાષણના પરિણામરૃપે કોઈને શસ્ત્ર હાથમાં લેવાનું કે હિંસા માટે ઉશ્કેરણીની હાકલ કરવામાં આવી નથી.અમારા મતે આ તબક્કે રાજદ્રોહ માટે કોઈ નિર્ણાયક સાહિત્ય નથી, અમે વિશેષ જજ આર. એન. રોકડેએ જણાવ્યું છે.રાણા દંપતીને ધરપકડના ૧૩ દિવસ બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
રાણા દંપતીએ આપેલી મુલાકાતનોની વિગત પરથી તેમણે મુખ્ય પ્રધાન સામે અત્યંત વાંધાજનક નિવેદનો વાપર્યા છે, એમ પણ કોર્ટે જણાવ્યું હતું.રાજકીય નેતાઓ શાંતી અને એકાત્મતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા નીભાવે છે એ નોંધવું જરૃરી છે.તેઓ જે બોલે છે અને કરે છે તેના ઘણા ટેકેદારો અને અનુયાયીઓ હોય છે.આથી તેમના પર જવાબદારી વધુ છે.રાણાએ બંધારણ હેઠળ અપાયેલા વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાની હદ નિશંકપણ પાર કરી છે.જોકે વાંધાજનક શબ્દોની અભિવ્યક્તિ રાજદ્રોહની કલમ લાગુ કરવા પુરતું નથી.હિંસા આચરીને જાહેર શાંતિને ખોરવવાનો લેખિત કે શાબ્દિક રીતે ઈરાદો હોય તો જ અ ાજોગવાઈ લાગુ થાય છે.કોર્ટે રાણા દંપતીને બુધવારે જામીન આપતો આદેશ અપાયો હતો પણ વિસ્તૃત આદેશ શુક્રવારે ઉપલબ્ધ થયો હતો.