મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ઝપાઝડપી થઈ હતી.આ દરમિયાન કેટલાય વાહનમાં આગ લગાવવામાં આવી હતી અને પથ્થરમારો થયો હતો.રોષે ભરાયેલી ભીડે પોલીસના વાહનને પણ આગની ચપેટમાં લીધા હતાં.જોકે, હાલમાં સ્થિતિ કાબૂમાં છે પણ તણાવભર્યો માહોલ છે.આ ઘટના બુધવારે રાત્રે છત્રપતિ સંભાજીનગરના કિરદપુરા વિસ્તારમાં ઘટી.ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને હળવા બળનો ઉપયોગ કર્યો.હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શું છે હિંસાનું કારણ
મીડિયા રિપોર્ટ્સ અનુસા બુધવારે મોડી રાત્રે બે યુવક વચ્ચે એક મંદિર બહાર ઝઘડો થયો હતો.ત્યાર બાદ બંને યુવકોએ પોત-પોતાના સાથીઓને બોલાવ્યા અને ઝપાઝપી શરૂ થઈ.નજીની બાબતે થયેલી આ લડાઈ બાદમાં સાંપ્રદાયિર હિંસામાં પરિવર્તિ હતી.પહેલા બંને પક્ષોમાં પહેલા બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ અને પછી બંને તરફથી પથ્થરમારો શરૂ થયો.આ પછી વાહનોને આગ લગાડવામાં આવી હતી.હિંસાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલ પોલીસ વાહનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.એવું પણ કહેવામાં આવી રહ્યું છે એક પક્ષ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.આ હિંસામાં કેટલાય લોકો ઘાયલ થયા છે.જોકે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.પરંતુ માહોલમાં હજી તણાવ છે.સ્થિતિને ધ્યાને રાખી કિરાદપુરામાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશ્નર નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે હિંસા દરમિયાન પથ્થરમારો થયો અને પોલીસ વાહનોમાં પણ આગ લગાવવામાં આવી.આગની ચપેટમાં અનેક વાહનો આવી ગયા હતાં.પોલીસે લોકોને વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
રામનવમીની આગલી રાત્રે મહારાષ્ટ્રમાં હિંસા થયાના સમાચાર મળી રહ્યા છે.બે શહેરોમાં બે જુદી-જુદી ઘટનાઓમાં હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપી થયાં હતાં.સંભાજીનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ તો જલગાંવમાં મસ્જિદની બહાર સંગીત વગાડવા મુદ્દે ધમાલ થઇ હતી.મહારાષ્ટ્રમાં સંભાજીનગરના કિરાડપુરામાં હિંસા થઇ હતી.બુધવારે (29 માર્ચ, 2023) રાત્રે 12:30 વાગ્યાના અરસામાં નગરમાં આવેલા એક રામ મંદિરની બહાર બે યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા અને એકબીજા પર હુમલો કરીને પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.ત્યારબાદ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આગ પણ લગાવી દેવામાં આવી હતી.સંભાજીનગરના પોલીસ અધિકારીઓ અનુસાર, બે યુવાનો વચ્ચે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેના કારણે પથ્થરમારો અને આગચંપી થયાં તો પોલીસના વાહનો સહિત અનેક વાહનોને આગ પણ લગાવી દેવામાં આવી.આ દરમિયાન બૉમ્બ પણ ફેંકવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
Maharashtra | A clash broke out between two groups in Chhatrapati Sambhajinagar's Kiradpura area
Stones were pelted, some private & police vehicles were set on fire. Police used force to disperse the people and now the situation is peaceful. Police will take strict action… pic.twitter.com/u9qa5XYyPk
— ANI (@ANI) March 30, 2023
મીડિયામાં ઘટના બાદની કેટલીક તસ્વીરો પણ સામે આવી છે.જેમાં આગ લગાવવામાં આવેલાં વાહનો જોવા મળે છે.ઘટના બાદ પોલીસે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને તમામને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.પોલીસે ઘટનામાં સામેલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે.પોલીસ અનુસાર, હજુ સુધી આરોપીઓની ઓળખ થઇ નથી પરંતુ ટોળામાં 500થી 600 જેટલા લોકો સામેલ હોવાનું કહેવાય રહ્યું છે.જેમની ધરપકડ માટે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે.પોલીસ અનુસાર, રામ મંદિર સુરક્ષિત છે અને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું.
Maharashtra | A clash broke out between two groups over playing music outside a Mosque while Namaz was going on, in Jalgaon district
Two FIRs have been registered, we've arrested 45 people so far. 4 people are injured in the violence. The present situation is peaceful and is… pic.twitter.com/EaT5WIOtwT
— ANI (@ANI) March 30, 2023
જલગાંવમાં મસ્જિદની બહાર હિંસા
મહારાષ્ટ્રના જલગાંવમાં પણ બુધવારે રાત્રે હિંસાની ઘટના બની હતી.અહીં એક મસ્જિદમાં નમાજ ચાલી રહી હતી તે સમયે ડીજેના તાલે ધાર્મિક શોભાયાત્રા પસાર થવાના મામલે બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.આ મામલે પોલીસે 2 FIR દાખલ કરીને 45 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી.ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે.આ ઘટનાની પણ અમુક તસ્વીરો સામે આવી છે,જેમાં વાહનોમાં તોડફોડ થયેલી જોઈ શકાય છે તેમજ રસ્તા પર પથ્થર પણ જોવા મળે છે.રિપોર્ટ અનુસાર, મંગળવારે રાત્રે એક ધાર્મિક યાત્રા નીકળી હતી.જે સપ્તશૃંગી ગઢ પહોંચવાની હતી.યાત્રા જ્યારે પાલથી ગામમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા ઈસમોએ તેની ઉપર પથ્થરમારો કર્યો હતો.જ્યારે યાત્રામાં સામેલ લોકો ઉગ્ર થઇ ગયા તો તોડફોડ અને પથ્થરમારો થયો હતો.આ ઉપરાંત એક પોલીસ જીપને પણ આગ લગાવી દેવામાં આવી હતી.