નવી દિલ્હી : રામનવમી અને હનુમાન જયંતી પછી હજી પણ દેશના કેટલાયે ભાગોમાં કોમી તંગદિલી અને હિંસા વ્યાપી રહ્યાં છે.આથી સરકારોને કેટલાંયે સ્થળોએ કલમ ૧૪૪ લાગુ કરવી પડી છે.દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં થયેલાં કોમીરમખાણોની આગ પછી દેશના, વિવિધ વિસ્તારોમાં તે ફેલાઈ ગઈ છે.મુંબઇની ચારે કોલોનીમાં અનેક ધાર્મિક યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી.તે પછી ૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે મહારાષ્ટ્રનાં અમરાવતીમાં એક ધાર્મિક ધ્વજ હઠાવવાના મુદ્દે તોફાનો ફાટી નીકળ્યાં હતાં.ત્યાર પછી પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી હતી.ગુજરાતમાં વડોદરામાં એક માર્ગ દુર્ઘટના પછી થયેલા ઝઘડાએ કોમી વલણ લઇ લીધું હતું.આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં દિલ્હીમાં ગૌ હત્યાની શંકા ઉપરથી એક જણને મારી મારીને ખતમ કરી નખાયો હતો.દિલ્હીમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં પછી જોતજોતામાં તેની આગ કર્ણાટક સુધી ફેલાઈ ગઈ હતી.કેટલાંયે વાહનોને નુકશાન કરવામાં આવ્યું એ ધાર્મિક જૂથોએ પરસ્પર ઉપર પથ્થર મારો પણ શરૂ કરી દીધો હતો.જેમાં કેટલાયે લોકો ઘાયલ થયા હતા.પોલીસે હજી સુધીમાં ઓછામાં ઓછા ૧૯ લોકોની ધરપકડ કરી છે.
કર્ણાટકનાં પાટનગર બેંગલુરૂમાં પણ તોફાનો થયાં છે.વાસ્તવમાં બેંગલુરૂથી ૪૦૦ કીમી દૂર હુબલીમાં એક વ્હોટસ-એપ સંદેશા પછી બબાલ શરૂ થઇ હતી.લોકોએ પોલીસ થાણા ઉપર પણ હુમલો કર્યો હતો. જે અંગે ૪૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે.હુબલીમાં તો ચાર દિવસ સુધી પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે.બીજી તરફ દિલ્હીમાં જ મુસ્લીમો વિરૂધ્ધ ભડકાઉ ભાષણો આપવામાં આવ્યાં હતાં.દિલ્હીમાં ૧૭મી એપ્રિલે થયેલી હિંસાની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે હનુમાન જયંતિની યાત્રા પછી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.પરંતુ તે યાત્રા માટે પરવાનગી પણ આપવામાં આવી નહતી.પોલીસે, તે યાત્રાના આયોજકો વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.કેટલાક મીડીયા રીપોર્ટ જણાવે છે કે, તે યાત્રામાં સામલ કેટલાક લોકો પાસે બંદૂકો તથા અન્ય શસ્ત્રો પણ હતાં.જેનું તેઓ ખુલ્લે આમ પ્રદર્શન કરી રહ્યા હતા.સોશ્યલ મીડીયામાં તેની તસ્વીરો વાયરલ થઇ છે જો કે હજી સુધી પોલીસે કોઈ પગલાં લીધાં નથી.