અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિમર્ણિ કરવા માટે કામગીરી ચાલી રહી છે અને તેના માટે દેશ-વિદેશથી દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા લોકોને અપીલ કરવામાં આવી હતી અને ત્યારથી દાનનો પ્રવાહ વહી રહ્યો છે.અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 26 દિવસમાં કુલ ા.1000 કરોડનું દાન મળી ગયું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.આ પહેલા પણ રામમંદિર નિમર્ણિ કમિટિ તેમજ ટ્રસ્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે લોકો દેશ-વિદેશથી દિલ ખોલીને દાન આપી રહ્યા છે.ઘણા બધા લોકોએ ઘરેણા પણ મોકલાવ્યા છે,પરંતુ ટ્રસ્ટના આગ્રહ રોકડ રકમ પર રહ્યો છે કારણ કે,તેનો સીધો ઉપયોગ અત્યારે થઇ રહ્યો છે.અયોધ્યાને વર્લ્ડ કલાસ સીટી બનાવવાની પણ જાહેરાત થઇ ચુકી છે.
વિદેશના એન્જિનિયરો અને બાંધકામના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે અને સાથો સાથ દેશ-વિદેશથી દાનનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે અને તેનો પણ હિસાબ કિતાબ રાખવામાં આવી રહ્યો છે.વિદેશથી પણ મોટા પ્રમાણમાં દાન મળી રહ્યું છે અને ખાસ કરીને એનઆરઆઇ દ્વારા મોટા પ્રમાણમાં દાન આપવામાં આવી રહ્યું છે અને દેશમાંથી પણ સતત દાનનો પ્રવાહ ચાલુ રહ્યો છે.અયોધ્યામાં આ ઐતિહાસિક મંદિર બનાવવા માટે નાણાની કોઇ ખેંચ પડશે નહીં તેવી ખાતરી કેન્દ્ર સરકારે અને યુપીની સરકારે અગાઉ પણ આપી હતી.કેન્દ્ર સરકાર દ્વારા તેમજ રામમંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને દાનનો પ્રવાહ છુટ્ટો મુકવા અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદથી ઝડપથી દાન આવી રહ્યું છે.