મુંબઈ : તા.13 જુલાઈ 2022,બુધવાર : આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયની જાહેરાત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરી છે. સવાલ એ છે કે,NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું સમર્થન શિવસેનાની રાજકીય મજબૂરી બની ગઈ છે.શું આ રાજકીય મજબૂરીએ શિવસેનાને દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના નિર્ણય તરફ પગલાં ભરવા મજબૂર કરી છે? સાથે જ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે,શિવસેનાનો આ નિર્ણય ભાજપ માટે સંકેત સમાન છે.
જોકે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે દાવો કર્યો હતો કે,શિવસેના કોઈપણ દબાણ વગર મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે,તેઓ આ નિર્ણય ધારાસભ્યોના દબાણમાં આવીને નથી લઈ રહ્યા પરંતુ બીજી તરફ જાણવા મળે છે કે,હાલમાં શિવસેનાની અંદરની લડાઈએ શિવસેનાને નબળી બનાવી દીધી છે.તાકાત પણ ઘટી છે.મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ શિવસેના પાસે બહુ ઓછા વિકલ્પો બચ્યા છે.