By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાષ્ટ્રપતિની ચૂંટણીઃ માયાવતીએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાષ્ટ્રપતિની ચૂંટણીઃ માયાવતીએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
GeneralNational

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ માયાવતીએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન

HM News
Last updated: 25/06/2022 7:19 AM
HM News
3 years ago
Share
SHARE

લખનૌ : તા.25 જૂન 2022,શનિવાર : આગામી તા.24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે.ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી જોડાણે(NDA)દ્રોપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે.ભાજપના આદિવાસી કાર્ડના કારણે વિપક્ષી દળો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન મુદ્દે અવઢવમાં મુકાયા છે.મૂળે ઓડિશાના આદિવાસી નેતા દ્રોપદી મુર્મૂએ વિપક્ષમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ બધા વચ્ચે બહુજન સમાજ પાર્ટી(બસપા)ના પ્રમુખ માયાવતીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.બસપા પ્રમુખ માયાવતીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ખાતેથી જાહેરાત કરી હતી કે,’અમે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.’આ સાથે જ માયાવતીએ એનડીએના ઉમેદવારને સમર્થન મામલે જે સવાલો થઈ શકે તેના જવાબો પણ આપ્યા હતા.માયાવતીએ જણાવ્યું હતું કે,’અમે આ નિર્ણય ભાજપ કે એનડીએના પક્ષમાં પણ નહીં અને વિપક્ષના વિરોધમાં પણ નથી લીધો.આ નિર્ણય અમે અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને જ લીધો છે.’

ઉલ્લેખનીય છે કે,બસપા દલિત મૂવમેન્ટમાંથી ઉપજેલી પાર્ટી છે.પાર્ટીની બેઝિક વોટ બેંક પણ દલિતો જ છે.એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે.આ કારણે બસપા પણ અવઢવમાં મુકાઈ હતી કે,દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરે કે,વિપક્ષી દળોના ઉમેદવાર યશવંત સિંહાનું.

ઇજિપ્તના સૌથી ખુંખાર ઇસ્લામી આતંકી હિશમ અશ્માવીને ફાંસીએ લટકાવી દેવાયો
જો તમે રસી મૂકવવા તૈયાર હોવ તો ફિકર ન કરતા હવે સુરત મહાનગરપાલિકા ઘર આંગણે રસી મૂકવા આવશે : વાંચો વિસ્તાર પ્રમાણે ઉપયોગી હેલ્પલાઇન નંબરો
શહેરભરમાં અષાઢમાં જળતાંડવ, અમદાવાદનાં પાલડીમાં ૨૪ કલાકમાં ૧૮,ઉસ્માનપુરામાં ૧૫ ઈંચ વરસાદ
ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ ફડણવીસ અડધી રાત્રે CM શિંદેને મળવા પહોંચ્યા
સાવચેત રહેવું અનિવાર્ય, સક્રિય કેસોની સંખ્યા 1.31 લાખને પાર પહોંચી
Share This Article
Facebook Email Print
Previous Article દ્રૌપદી મુર્મૂએ સોનિયા, મમતા, પવાર પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન માગ્યું
Next Article નશામાં ધૂત યુવકે જૂતા પહેરીને શિવલિંગ પર કર્યો બિયરનો અભિષેક, કાર્યવાહીની માગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up