By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રિઝર્વ બેન્ક ચાલુ વર્ષે વ્યાજના દરમાં 0.75 % ઘટાડો કરશેઃ ફિચ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > રિઝર્વ બેન્ક ચાલુ વર્ષે વ્યાજના દરમાં 0.75 % ઘટાડો કરશેઃ ફિચ
BusinessGeneralNational

રિઝર્વ બેન્ક ચાલુ વર્ષે વ્યાજના દરમાં 0.75 % ઘટાડો કરશેઃ ફિચ

HM News
Last updated: 27/04/2020 9:35 AM
HM News
5 years ago
Share
SHARE

– ફુગાવો અંકુશમાં રહેશે,જેથી રિઝર્વ બેન્કને રેટ કટમાં સાનુકૂળતા રહેશે

નવી િદલ્હી,

ફિચ સોલ્યૂશન્સે મંગળવારે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં વ્યાજના દરમાં 75 બેસીસ પોઈન્ટ(0.75 ટકા)નો ઘટાડો કરશે તેવી ધારણા છે.તેના મતે હાલમાં જે પગલાં લેવાયા તે અર્થતંત્રમાં ગતિ લાવવા માટે અપૂરતા છે.કોરોનાની અસર વ્યાપક છે. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે આરબીઆઈએ જે આક્રમક રીતે પગલાં લીધા છે તે જોતા હજી આગામી માર્ચ 2021 સુધીમાં તે વ્યાજના દરમાં 0.75 ટકાનો ઘટાડો કરશે તેવી ધારણા છે.તે મુજબ રેપો રેટ 3.65 ટકા થશે અને રિવર્સ રેપો રેટ 3 ટકા થઈ જશે.

એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસને પગલે જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં માંગ ઘટવાથી ફુગાવાનો દર ઘટશે અને તેને કારણે રિઝર્વ બેન્કને વ્યાજના દરમાં ઘટાડો કરવામાં સાનુકૂળતા રહેશે.કોરોનાને કારણે અર્થતંત્ર પર થયેલી અસર ઘટાડવા રિઝર્વ બેન્કે ગત સપ્તાહે લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં જાહેર કર્યા હતા.એનબીએફસી અને માઈક્રોફાઈનાન્સ કંપનીઓ માટે પણ રાહતો જાહેર કરી હતી. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જેથી બેન્કો વધુ ધિરાણ કરે.

જોકે ફિચના મતે આ પગલાં પૂરતા નથી અને RBIએ વધુ પગલાં લેવા પડશે. તો જ કોરોનાની અસર દૂર થશે.આરબીઆઈએ ટીએલટીઆરઓ હેઠળ પણ ~50,000 કરોડ ઠાલવ્યા છે.આરબીઆઈએ રાજ્ય સરકારો માટે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ(WMA) લિમિટ પણ વધારીને 30 ટકાથી વધારીને 60 ટકા કરી દીધી હતી અને તેની સમયમર્યાદા પણ 1 એપ્રિલથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી હતી. આરબીઆઈએ એનપીએ માટેની 90 દિવસની સમયમર્યાદાનો નિયમ પણ ફેરફાર કરીને 180 દિવસની કરી દીધી હતી. તેના મતે સ્મોલ અને મીડિયમ સ્કેલ કંપનીઓ(SME)ને કોરોના અને લોકડાઉનની વ્યાપક અસર થઈ છે.તેમાં એનબીએફસી અને માઈક્રોફાઈનાન્સ કંપનીઓનો પણ સમાવેશ થઈ જાય છે.

બૉલીવુડ અભિનેત્રી નાયરા શાહ ડ્રગ્સ સાથે બર્થ-ડે પાર્ટી ઉજવી રહી હતી ને પોલીસે પાડી રેડ
ફેસબુક સર્વર ઠપ થતાં 52 હજાર કરોડનો ફટકો : 13 વર્ષિય ચાઈનીઝ હેકર સન જિશુએ સર્વર હેક કરી પાડી દીધો ઝુકરબર્ગનો ખેલ ..
મહારાષ્ટ્રના નાસિકમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10ના મોત
ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
મારિયુપોલમાં રશિયન સૈન્યનો એક પક્ષીય યુદ્ધવિરામ : અન્ય સ્થળોએ હુમલા યથાવત્
Share This Article
Facebook Email Print
Previous Article ભારતનો ગ્રોથ ચાલુ વર્ષે 0.8 ટકા રહેશેઃ ફિચ રેટિંગ્સ
Next Article RBIએ મ્યુચ્યુઅલ ફંડ માટે 50,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમની જાહેરાત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up