રૂપાણી સરકારે આજે બંધ કરેલા પોલીસનો R.R. સેલ શું છે ? તેની રાજ્યમાં કામગીરી શું હતી ? જાણો આ આ અંગે વિગતે

HM News
1 Min Read

આજે સીએમ રૂપાણીએ જાહેરાત કરતા ગુજરાત પોલીસમાં RR સેલ બંધ કરાયો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાહેરાત કરી હતી.1995થી ચાલતો આર.આર.સેલ બંધ કરાતા જિલ્લા પોલીસ વડાને વધુ સત્તા અપાઈ છે,રૂપાણીએ R.R. ને રદ કરતા જણાવ્યું હતું કે,આ સેલની હવે ઉપયોગિતા રહી નથી.હવે ટેક્નોલોજી વધી છે તેથી આ સેલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત સરકારમાં 1995થી ચાલતો આર.આર. સેલનું ફુલ ફોર્મ રેપિડ રીસ્પોન્સ સેલ છે.ગુજરાતમાં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 1995માં પહેલી ભાજપ સરકાર રચાઈ ત્યારે આ સેલની રચના કરવામાં આવી હતી.આ સેલની રચનાનો ઉદ્દેશ કોઈ પણ ગુનાને લગતી માહિતી મળે કે તરત કાર્યવાહી કરવાનો હતો કે જેથી ગુનાને અટકાવી શકાય. આર.આર. સેલની મુખ્ય કામગીરી દરોડા પાડવાની હતી.આર.આર. સેલ જિલ્લા પોલીસ તંત્રથી સ્વતંત્ર કામગીરી કરતું હતું.દારૂબંધીના કાયદાનો ભંગ, જુગારધામો કે અન્ય અનૈતિક ધંધા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોય તેને રોકવા માટે આ સેલ દરોડા પાડતું હતું.તેના કારણે ઘણી વાર જિલ્લા પોલીસ તંત્ર સાથે સંઘર્ષ પણ થતો કેમ કે આર.આર. સેલ સીધું રાજ્યના પોલીસ વડાની નજર હેઠળ કામ કરતું હતું.હવે રાજ્ય સરકાર આર.આર.સેલને બંધ કરીને જિલ્લાના પોલીસ વડાને વધારે સત્તા આપી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *