અમદાવાદ : ગુજરાત સરકારે પાંચ આઈએએસ અધિકારીઓને બઢતી આપીને તમામ અધિકારીઓને પ્રિન્સિપાલ સેક્રેટરીના ગ્રેડમાં મૂક્યા છે.આ ઉપરાંત દસ અધિકારીઓને આઈએએસનો સિલેક્શન ગ્રેડ આપવાનો પણ નિર્ણય કર્યો છે.
આ દસ અધિકારીઓમાં ધવલ પટેલ, ઉદિત અગ્રવાલ,સુપ્રીત સિંહ ગુલાટી,જે.બી. પટેલ,એચ.કે. કોયા,એ.એમ. શર્મા,એમ.વાય. દક્ષિણી, ડી.એસ.ગઢવી, ડી.પી. દેસાઈ અને સૈદિનપુઈ છાકછુઆકનો સમાવેશ થાય છે.રૂપાણી સરકાર દ્વારા રૂપિયા 1,23,100થી 2,15,100ના પે સ્કેલમાં મૂકવામાં આવેલા અધિકારીઓમાં સુરતના કલેક્ટર ધવલ પટેલ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નાણાં વિભાગના સંયુક્ત સચિવ સૈદિનપૂઇ છાકછુઆક,પાટણના કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી,મોરબીના કલેક્ટર જે.બી. પટેલ,સુરતના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. કોયા,ગાંધીનગરના કમિશનર ઑફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ એ.એમ. શર્મા,મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી,ખેડા-નડિઆદના જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી અને ગાંધીનગરમાં કોઓપરેટીવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે સેવા આપતા ડી.પી. દેસાઈનો સમાવેશ થાય છે.બિહારમાં પટણા ખાતે ડિરેક્ટર પ્રાઈમરી એજ્યુકેશન તરીકે ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલા ડૉ. રણજિત કુમાર સિંહને પણ આ પે સ્કેલમાં મૂકવામાં આવ્યા છે.
————————————————————————————————-
ગુજરાતના 5 પાવરફુલ IAS અધિકારીઓને અગ્ર સચિવમાં બઢતી, IPS અધિકારીઓ અંગે કોઇ જાહેરાત નહીં
રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે નવા વર્ષના બીજા દિવસે જ IAS અધિકારીઓને બઢતી આપી છે પણ હજી પોલીસ ખાતામાં IPS અધિકારીઓ માટે કોઇ જાહેરાત નથી કરાઇ. રાજ્યના 1996 બેચના 5 સીનિયર IAS અધિકારીઓને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે પ્રમોશન મળ્યું.રાજ્યના સામાન્ય વહિવટી વિભાગે નવા વર્ષના બીજા દિવસે શનિવારે મોડી સાંજે 1996 બેચના પાંચ સીનિયર IAS અધિકારીઓને સચિવમાંથી અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે.આ પાંચ IAS અધિકારીઓમાંથી માત્ર બે IAS અધિકારીઓ જ ગુજરાતમાં છે.બાકીના ત્રણ IAS અધિકારીઓ પ્રતિનિયુક્તી પર છે.
સામાન્ય વહિવટ વિભાગે પાંચ IAS અધિકારીઓને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે.જેમાં ટોકયોની ઇન્ડિયન એમ્બેસીમાં મિનિસ્ટરી ઓફ ઇકોનોમિક્સ અને કોમર્સના મિનિસ્ટર મોના કંધાર, વોશિંગ્ટન ડીસી ખાતે ઇન્ટરનેશનલ મોનિટ્રી ફંડના ઇડીના સીનિયર એડવાઇઝર ડૉ. ટી.નટરાજન,વોશિંગ્ટન વર્લ્ડ બેન્કના ઇડીના સીનિયર એડવાઇઝર રાજીવ ટોપનો,પ્રવાસન,દેવસ્થાન વિભાગના સચિવ મમતા વર્મા અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને અગ્ર સચિવ તરીકે બઢતી આપી છે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને તેમના IAS પત્ની મોના કંધાર બન્ને બેચમેન્ટ છે અને આ IAS દંપત્તિને પણ અગ્ર સચિવ તરીકે બઢતી મળી છે.