કેન્દ્ર સરકારે રેલવેના ખાનગીકરણની યોજનાને આગળ વધારવાનો સંકલ્પ કર્યેા છે અને ૧૫૧ જેટલી ટ્રેનો ખાનગી ક્ષેત્ર દ્રારા ચલાવવા માટેની યોજના માં હવે મોટા મોટા ઉધોગપતિઓ ના નામ સ્પર્ધક તરીકે બહાર આવી રહ્યા છે.
ખાનગી ટ્રેન ચલાવવા માટેની ઈચ્છા અગ્રણી ઉધોગપતિ રતન તાતા તેમજ અદાણી જૂથ દ્રારા વ્યકત કરવામાં આવી છે એજ રીતે ઈન્ડિગો કંપની તેમજ મેક માય ટ્રીપ ઓનલાઇન પોર્ટલ દ્રારા પણ ટ્રેન દોડાવવાની ઇચ્છા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય મોટા ગ્રુપ ના નામ પણ બહાર આવી રહ્યા છે અને આ લોકો બધા ટ્રેન દોડાવવા માટે ના આ નવા સાહસ માં જોડાઈ જવા માગે છે અને મોટાપાયે રોકાણ કરવા માંગે છે. ભારતીય રેલવે દ્રારા દેશ ભરમાં ૧૯૦ જેટલા માર્ગેા પર ૧૫૧ ટ્રેનો ના સંચાલન માટે પાત્રતા અનુરોધ જારી કર્યા છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને આમંત્રણ આપ્યું છે ત્યારે ઉપર મુજબના કેટલાક મોટા નામ અત્યારે સ્પર્ધક તરીકે બહાર આવ્યા છે.
અલગ અલગ કંપનીઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે અને તેની બોલી પણ લગાવવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયાને આવતા વર્ષે એપ્રિલ માસ સુધી પુરી કરી લેવાની યોજના બનાવવામાં આવી છે.
હજુ પણ કેટલાક મોટા નામ સ્પર્ધક તરીકે બહાર આવવાની શકયતા છે. ટ્રેન દોડાવવા નું સાહસ કરવા માટે અને પોતાના નેટવર્કને વધુ વિસ્તારવા માટે મોટા અને ટોપ લેવલના ઉધોગ ગ્રહો વચ્ચે સ્પર્ધા શ થઇ છે