વલસાડ, 10 જૂન : વલસાડ જિલ્લાના રોજગાર ઈચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી, વલસાડ ખાતે રોજગાર સેવાનો લાભ મેળવવા માટે નામનોંધણી કરાવી હતી, પરંતુ નોવેલ કોરોના વાઇરસ ફેલાતા સમગ્ર ભારતમાં લોકડાઉનના કારણે રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રહેતા ઉમેદવારો રોજગાર કચેરીમાં નામનોંધણી રીન્યુઅલ કરી શકયા ન હતા.જેથી ઉમેદવારોના નોંધણી રીન્યુાઅલ કરવાની મુદત તા.31/08/20 સુધી લંબાવવામાં આવી છે.રોજગાર ઈચ્છુકોએ નિયત સમયમાં રોજગાર કચેરી,વલસાડ ખાતે નામ નોંધણી રીન્યુઅલ કરાવી લેવા રોજગાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.