નવી દિલ્હી : આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કેએલ રાહુલ કરશે.વિરાટ કોહલીએ ટી20માંથી કેપ્ટનશીપ છોડતા તેને બોર્ડ દ્વારા વન-ડે ટીમના કેપ્ટન પદેથી પણ હટાવાયો હતો.ત્યારબાદ કે એલ રાહુલને ભારતની વન-ડે ટીમના ચામચલાઉ કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી હતી.ઈજાગ્રસ્ત ઓપનર રોહિત શર્માના સ્થાને તે દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં ઓપનિંગ કરશે તેમ રોહિત શર્માએ જણાવ્યું છે.ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચ 19 જાન્યુઆરીથે પાર્લમાં રમાશે.કેએલ રાહુલે રવિચન્દ્રન અશ્વિન પાંચ વર્ષ બાદ વન-ડે ટીમમાં કમબેક કરી શકે છે તેવા સંકેત આપ્યા છે.અગાઉ રાહુલે રોહિત શર્મા તેમજ શિખર ધવન સાથે મિડલ ઓર્ડરમાં અલગ અલગ ક્રમે બેટિંગ કરી છે.
પ્રથમ વન-ડે મેચ અગાઉ કે એલ રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,ગત 14-15 મહિનાથી મે ચોથા અને પાંચમા સહિતના અનેક ક્રમે બેટિંગ કરી છે.રોહિત હાલ ટીમમાં નહીં હોવાથી હું પ્રથમ ક્રમે બેટિંગ કરીશ.હું ઘણી બધી યોજનાઓ તેમજ લક્ષ્ય ધરાવતો વ્યક્તિ નથી.મે મારી રમત આ પ્રકારે જ રમી છે અને આ જ રીતે હું ટીમનું નેતૃત્વ પણ કરીશ.
રાહુલે જણાવ્યું કે,હું એમ એસ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ક્રિકેટર્સની કેપ્ટનશીપમાં રમ્યો છું અને આશા છે કે તેમની પાસેથી મળેલી શીખને હું મેદાનમાં અમલમાં મુકીશ.કપ્તાનીની રાહમાં હું ભૂલો કરીશ પરંતુ તેમાંથી પાઠ શીખીને વધુ શ્રેષ્ઠ બનીશ.


