ઉત્તર પ્રદેશના લખીમપુરમાં રવિવારે ભડકેલી હિંસામાં કુલ આઠ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.એવો પણ આરોપ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની કારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કાર ચલાવી દીધી હતી.જેમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.એ પછી મામલાએ હિંસાનું રૂપ લઈ લીધું હતું. જેમાં બીજી ચાર વ્યક્તિએ જીવ ગુમાવી દીધા.આ સમગ્ર બબાલ બાદ રાજકારણ ગરમાયું છે.વિપક્ષ નેતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને ડે.સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું રાજીનામું માગી રહ્યા છે.
રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય એક કાર્યક્રમ હેતું લખીમપુર ખીરીની મુલાકાતે આવ્યા હતા.જેને લેવા માટે ગાડીનો કાફલો જઈ રહ્યો હતો.આ તમામ કાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની હોવાનું જાણવા મળ્યું હતું.રસ્તામાં તિકુનિયા વિસ્તારમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું.જેમાંથી બબાલ શરૂ થઈ ગઈ હતી.ખેડૂતના મોત બાદ મામલો વધારે ગરમાયો.એવામાં હિંસા શરૂ થઈ ગઈ હતી.જેમાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા.
આ હિંસામાં કુલ મળીને આઠ વ્યક્તિઓના મોત થયા છે.હિંસા થયા બાદ સ્થિતિ ન બગડે એ માટે ઈન્ટરનેટ સેવા યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવી હતી.જ્યારે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાની સામે તિકુનિયા પોલીસ ચોકીમાં કેસ નોંધાયો હતો.પોતાના પર લાગેલા આરોપોને કેન્દ્રીય મંત્રી તથા એના દીકરાએ ફગાવી દીધા છે.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ કારના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો.અમારા ત્રણ કાર્યકર્તા અને એક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. કારને પણ આગચંપી કરી દેવામાં આવી.આ મામલે હું પણ પોલીસ કેસ કરીશ.જ્યારે પુત્ર આશિષ મિશ્રાએ દાવો કરતા કહ્યું કે, હું સવારે 9 વાગ્યે બનવાસીપુરમાં હતો.અમારી ત્રણ ગાડી એક કાર્યક્રમ હેતું નાયબ મુખ્યમંત્રીને લેવા માટે નીકળી હતી. રસ્તામાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો.કારમાં આગ લગાવી દીધી હતી.ત્રણથી ચાર કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હિંસાના બનાવને દુઃખદ અને દુર્ભાગ્યપુર્ણ કહ્યો છે.આ ઘટના બાદ યોગી આદિત્યનાથે એક ટ્ટવીટ કરતા કહ્યું હતું કે, લખીમપુર ખીરીમાં થયેલી આ ઘટના દુઃખ અને દુર્ભાગ્યપુર્ણ છે.આ ઘટના પાછળ જે દોષી અને જવાબદાર હશે એની સામે કડક પગલાં લેવાશે.આ સમગ્ર ઘટના પર વિપક્ષ એકએક આક્રમક મુડમાં આવી ગયો છે.
કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધી વાડ્રા લખનઉં પહોંચ્યા હતા. જ્યાંથી લખીમપુર માટે રવાના થયા હતા.સોમવારે વહેલી સવારે તેઓ લખીમપુર પહોંચ્યા હતા.પણ હરગાંવ પાસે એમની અટકાયત કરી લેવામાં આવી હતી. એ પછી એમના સીતાપુર ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ સવારે લખીમપુર ખીરી જવાના હતા.પણ પોલીસે એમને પણ રોકી લીધા હતા.એ પછી અખિલેશે રસ્તા પર બેસીને ધરણા શરૂ કરી દીધા હતા.
અખિલેશ યાદવે જણાવ્યું કે, આ સરકાર ખેડૂતો પર કેવા જુલમો કરી રહી છે.આવો ત્રાસ તો અંગ્રેજો પણ આપતા ન હતા.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય રાજીનામું આપી દે.લખનઉ પાસે અખિલેશ યાદવના ધરણા સ્થળ નજીક પોલીસની કારને આગચંપી કરી દેવામાં આવી હતી.અખિલેશ યાદવે એવો આરોપ મૂક્યો કે, આ કાર પોલીસે જ સળગાવી દીધી હશે.


