By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લખીમપુર હિંસા મામલે કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડના ભણકારા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લખીમપુર હિંસા મામલે કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડના ભણકારા
GeneralNational

લખીમપુર હિંસા મામલે કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડના ભણકારા

HM News
Last updated: 08/10/2021 7:24 AM
HM News
4 years ago
Share
SHARE

લખીમપુર : યુપીના લખીમપુર કાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બે લોકોની અટક કરીને તેમની તપાસ શરૂ કરાઇ છે અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને પૂછપરછ માટે પોલીસે સમન્સ પાઠવ્યા
છે.આમ ટૂંકમાં જ મંત્રીના પુત્રની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.પોલીસે મિશ્રાની ઘરની બહાર નોટિસ ચોટાડી દીધી છે.આ અંગેની માહિતી આપતાં આઇજીપી લક્ષ્‍મી સિંહે જણાવ્યું હતું કે ‘જો આશિષ મિશ્રા સમન્સનું પાલન નહીં કરે તો કાનૂની પ્રક્રિયા અપનાવવામાં આ‌વશે. જોકે આશિષને મોકલવામાં આવેલા સમન્સમાં કોઇ મર્યાદા અપાઇ નથી.’

કેન્દ્રીય મંત્રીના પુત્રનું નામ આઠ લોકોને ભોગ લેતી ત્રીજી ઓક્ટોબરની આ ઘટનામાં કરાયેલી એફઆઇઆરમાં સામેલ છે.જેમાં હત્યાના ગુનાની કલમ પણ સામેલ છે.આ કેસમાં તમામની ધરપકડ કરાઇ છે કે તેમને કસ્ટડી સોંપાઇ છે કે કેમ તેવા સવાલના જવાબમાં સિંહે ઉમેર્યું હતું કે જ્યાં બે આરોપીઓની પૂછપરછ કરાઇ રહી છે તે પોલીસ લાઇન્સમાં એડીજીપી એસ એન સબોત પહોંચી ગયા છે.આઇજીએ કહ્યું હતું કે આ ત્રણ લોકો કથિતરીતે આ કાંડમાં સામેલ છે કે કેમ તેમની ભૂમિકા અગાઉ સ્પષ્ટ નહતી. પરંતુ હવે ચીજો સ્પષ્ટ થઇ છે. જોકે તેમણે હાલના તબક્કે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે.

લખીમપુરની ઘટના ‘કમનસીબ’: સુપ્રીમ

નવી દિલ્હી: લખીમપુરની ઘટનાને ‘કમનસીબ’ ગણાવતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે એફઆઇઆરમાં પોલીસ દ્વારા સામેલ આરોપીઓ અંગે સ્ટેટસ રિપોર્ટની માગણી કરી હતી અને સવાલ કર્યો હતો કે આ લોકોની ધરપકડ કરાઇ છે કે કેમ તે પણ જણાવો. સુપ્રીમ કોર્ટે રાજ્યસરકાર દ્વારા સ્થાપવામાં આવેલી જ્યુડીશીયલ ઇન્ક્વાયરી કમીશન તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની વિગતો પણ માગી હતી. આરોપીઓને બચાવવામાં ભાજપ સરકાર લાગી છે તેવા વિરોધ પક્ષોના આરોપો સાથે આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે.ચીફ જસ્ટિસ એન વી રામનાએ સુઓ મોટો નોંધ લઇને આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું હતું કે ‘તમે તમારી જાતે જ કહ્યું છે અને તેનું રિપોર્ટિંગ પણ થયું છે અને અમને જે પિટીશન મળી છે તેમાં આઠ વ્યક્તિઓ કે જેમાં અનેક ખેડૂતો પણ સામેલ છે તેમના મોત અંગેની છે. આ તમામ કમનસીબ ઘટના છે કે જેમાં વિવિધ લોકોની હત્યા કરાઇ છે.’

હાઇકોર્ટના નિવૃત્ત જજને તપાસ સોંપાઈ

લખનૌ: યુપી સરકારે લખીમપુર ઘટનામાં તપાસ માટે એક સભ્યની જ્યુડીશીયલ કમીશનની રચના કરી છે.અલ્હાબાદના હાઇકોર્ટના નિવૃત્ત જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવને તપાસ સોંપવામાં આવી છે.કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના વર્તમાન સભ્ય દ્વારા નહિ કે નિવૃત્ત જજ થકી તપાસ થવી જોઇએ.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે ઉપવાસ પર બેસી કૃષિ બિલને સમર્થન જાહેર કર્યું
સુરત : ‘રામમંદિર’ની થીમ પર પંડાલ; ગણેશજીને મંદિરમાં રામ ભગવાનના સ્વરૂપમાં બિરાજમાન કરાશે
સુરત – શારજાહ ફ્લાઈટમાં મીઠાની બેગમાં સંતાડી 6 કરોડના હીરા સ્મગલિંગ કરતા પેસેન્જરને DRIએ દબોચ્યો
સી.આ૨.નો પહેલો પડકા૨ પેટા ચૂંટણી : સૌ૨ાષ્ટ્રમાં પાટીદા૨ ફેકટ૨ને બેેલેન્સ ક૨વું જ પડશે
book of ra oyna – Discount Casino’da Oynayanlar Kazanıyor
Share This Article
Facebook Email Print
Previous Article ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ દોષિત, રણજીત હત્યા કેસમાં CBI કોર્ટનો ચુકાદો
Next Article વડોદરાના દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ, બે કલાકની જહેમત બાદ પણ તબીબો સેમ્પલ લેવામાં ફેઇલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up