વેટિકન સિટી : ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ પોતાના નિવેદનોને કારણે સતત સમાચારમાં રહે છે.ક્યારેક તે એવા નિવેદનો કરે છે જે વાયરલ થઈ જાય છે.થોડા દિવસો પહેલા,85 વર્ષીય પોપ ફ્રાન્સિસે બાળકો કરતાં પાલતુ પ્રાણીઓને વધુ પ્રેમ કરનારાઓને સ્વાર્થી ગણાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે બાળકો કરતાં પાલતુ પ્રાણીઓને વધુ પ્રેમ કરવો એ આપણી માનવતા છીનવી લે છે.હવે,પોપ ફ્રાન્સિસે કહ્યું છે કે લગ્ન પહેલા સેક્સ પર નિયંત્રણ કરવું એ સાચા પ્રેમની નિશાની છે.
વેટિકન ખાતે પેરેન્ટહુડને લઈને એક નિવેદનમાં પોપે લોકોને વિનંતી કરી હતી કે તેઓ બાળકો પેદા કરવાથી ડરે નહીં.તેમણે ઉમેર્યું હતું કે સંતાન હોવા એ જોખમી છે,પરંતુ સંતાન ન હોવું એ વધુ મોટું જોખમ છે.પોપે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે તેઓ પશ્ચિમમાં વસ્તી વિષયક પરિવર્તનની સમસ્યાના ઉકેલ માટે લોકોને શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી રહ્યા હતા.જોકે,પોપના નિવેદનો પર લોકોએ અલગ રીતે પ્રતિક્રિયા આપી હતી.
પોપના નિવેદનને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.પોપનું નિવેદન ઘણા લોકોને પસંદ નથી આવ્યું તો ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું હતું.જો કે,પ્રાણી ધરાવનાર લોકો સ્વાર્થી શબ્દ વિશે દેખીતી રીતે જ નાખુશ હતા.પોપ ફ્રાન્સિસે વધુમાં કહ્યું હતું કે લગ્ન સુધી સેક્સથી દૂર રહી સંબંધને જાળવી રાખવો એક આદર્શ માર્ગ છે.નવી 97-પૃષ્ઠ વેટિકન માર્ગદર્શિકામાં,પોપ સુખી સંબંધ માટે નિયમો જણાવ્યા છે.પોપે એવો પણ દાવો કર્યો હતો કે આજકાલ યુગલોના સંબંધો જાતીય તણાવ અથવા દબાણને કારણે ઝડપથી તૂટી જાય છે.97 પાનાના દસ્તાવેજમાં ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગનો પણ ઉલ્લેખ છે,જેની ટીકા કરવામાં આવી રહી છે.


