સોમવારે મોડી રાતે ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં એક ભારતીય અધિકારી સહિત બે જવાનો શહીદ થયા હતા.મળતી માહિતી મુજબ,ચીની સૈનિકોએ લાકડામાં તીક્ષ્ણ વસ્તુઓ મૂકીને ભારતીય સૈનિકો પર હુમલો કર્યો.ભારતીય સેનાએ પણ પોતાના સૈનિકોની શહાદતનો બદલો લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના બદલામાં પાંચ ચીની સૈનિકો પણ ઠાર થયા છે.જ્યારે 11 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.ત્યારબાદથી સરહદ પર વિવાદ વધુ ગાઢ થયો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકો સોમવારે રાત્રે LAC પર સોમવારે રાત્રે લગભગ બેથી ત્રણ કલાક સુધી અથડામણ થઇ. આ ઘટનાને પગલે સરહદ પર ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની વાટાઘાટો વચ્ચે તણાવ વધ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને ભારતીય દળો વચ્ચે વિવાદ સોમવારે મોડી રાત્રે વધ્યો.જેમાં ભારતને મોટુ નુકસાન થયું છે.આપને જણાવી દઈએ કે 1962 પછી પહેલીવાર ભારત-ચીન વિવાદ વચ્ચે કોઈ સૈનિકની શહાદતનો મામલો સામે આવ્યો છે.
ભારત પર ચીને લગાવ્યો આરોપ
આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન બહાર આવ્યું છે.ચીને ભારતીય સેના પર સરહદ પાર કરવાનો આરોપ લગાવ્યો છે.આ સાથે જ ચીને પણ ભારતીય સૈનિકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.ચીને પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે ભારત એકપક્ષીય કાર્યવાહી ન કરે.આ ઘટના બાદ સેનાના વરિષ્ઠ અધિકારીઓ ગલવાન ખીણ પહોંચ્યા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકો કંટીલ તાર અને પત્થરો સાથે લઈને આવ્યા હતા.
પૂર્વી લદ્દાખના પેંગોંગ સો,ગલવાન ખીણ,ડેમચોક અને દૌલાત બેગ ઓલ્ડિમાં પાંચ અઠવાડિયાથી વધુ સમયથી ભારતીય અને ચીની સેના વચ્ચે તકરાર ચાલી રહી છે.પેંગોંગ સો સહિતના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ચીની સેનાના જવાનો સરહદની ભારતીય બાજુમાં પ્રવેશ્યા હતા.લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ના ભંગની આ ઘટનાઓ પર ભારતીય સૈન્ય સખત વાંધો ઉઠાવી રહી છે અને આ વિસ્તારમાં શાંતિ અને સુલેહ-શાંતિની પુનસ્થાપના માટે ચીની સૈનિકોની તાત્કાલિક પરત માંગ કરી છે.
લદ્દાખ બૉર્ડર પર ભારત અને ચીનની વચ્ચે હિંસક અથડામણમાં બંને તરફ નુકસાન થયું હોવાનાં સમાચાર સામે આવી રહ્યા છે.ભારતીય સેનાનાં 3 જવાનો શહીદ થયા હોવાની ખબરો સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનાં જવાન પણ માર્યા ગયા છે.ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે ચીનનાં 5 સૈનિકોનાં મોત થયા છે અને 11 સૈનિકો ઘાયલ થયા છે જેમને સ્ટ્રેચર પર લઇ જતા જોવામાં આવ્યા.
ભારતનાં 3 જવાનો શહીદ
અત્યારે ચીન તરફથી કેટલું નુકસાન થયું છે તેના પર ભારતીય સેનાએ વધારે કંઇ કહ્યું નથી.ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે નુકસાન બંને તરફથી થયું છે. આ પહેલા ભારતીય સેનાએ જણાવ્યું હતુ કે બૉર્ડર પર ચીની ઘુસણખોરીને રોકવા દરમિયાન ત્રણ જવાન શહીદ થયા.આમાં એક અધિકારી ઉપરાંત બે જવાન સામેલ છે.
તણાવ ઓછો કરવા બેઠકોનો ધમધમાટ શરૂ
મળતી માહિતી પ્રમાણે બૉર્ડર પર ચીની સૈનિકોએ ગોળી તો નહોતી ચલાવી,પરંતુ લાકડી-ડંડા અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. લદ્દાખની ગલવાન ખીણમાં સોમવાર રાત્રે ચીની સૈનિકોની સાથે હિંસક અથડામણ દરમિયાન ભારતીય સેનાનાં એક અધિકારી અને ત્રણ જવાન શહીદ થયા. ભારત અને ચીનની સેનાનાં વરિષ્ઠ અધિકારી લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.
ગત 5 અઠવાડિયાથી ગલવાન ખીણમાં મોટી સંખ્યામાં ભારતીય અને ચીની સૈનિક સામ-સામે આવ્યા હતા.આ ઘટના ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનાં એ નિવેદનનાં કેટલાક દિવસ બાદ થઈ છે,જેમાં તેમણે કહ્યું હતુ કે બંને દેશોનાં સૈનિક ગલવાન ખીણથી પાછળ હટી રહ્યા છે.