By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લવ જેહાદ : તનવીર ખાને ‘યશ’ બનીને મોડેલને ફસાવી : ધર્માંતરણ અને બ્લૅકમેલ માટે કરવા લાગ્યો દબાણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લવ જેહાદ : તનવીર ખાને ‘યશ’ બનીને મોડેલને ફસાવી : ધર્માંતરણ અને બ્લૅકમેલ માટે કરવા લાગ્યો દબાણ
GeneralNational

લવ જેહાદ : તનવીર ખાને ‘યશ’ બનીને મોડેલને ફસાવી : ધર્માંતરણ અને બ્લૅકમેલ માટે કરવા લાગ્યો દબાણ

HM News
Last updated: 31/05/2023 12:02 PM
HM News
2 years ago
Share
SHARE

ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ અંગેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.મુંબઈની એક મોડેલે રાંચીની મોડેલિંગ કંપનીના સંચાલક તનવીર અખ્તર ખાન પર હિંદુ બનીને તેને ફસાવવાનો આરોપ મૂક્યો છે.મોડેલે કહ્યું છે કે, તનવીરે પોતાની ઓળખ યશ તરીકે આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં નિકાહ માટે ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું.

તનવીરમાંથી યશ બનીને મોડેલિંગની આડમાં લવ જેહાદ કર્યો

ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ કરનારા તનવીર ખાન સામે મોડેલે મુંબઈમાં ફરિયાદ કરી હતી અને હવે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.વાસ્તવમાં, મૂળ બિહારની અને મુંબઈમાં મોડેલિંગ કરતી માનવી રાજ સિંહે રાંચીની યશ મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટના માલિક તનવીર ખાન પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.માનવી મોડેલિંગ ટ્રેનિંગ માટે રાંચીની મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટમાં આવી હતી.

માનવીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પહેલી મુલાકાતમાં પોતાની ઓળખાણ યશ તરીકે આપી હતી.જ્યારે પીડિતાને જાણવા મળ્યું કે આરોપી મુસ્લિમ હોવા છતાં હિંદુ હોવાનો ડોળ કરી રહ્યો છે ત્યારે તેણે આરોપીથી દૂર રહેવાનું શરુ કર્યું હતું.પીડિતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે તનવીર ખાન પર લવ જેહાદના આરોપો મૂકી રહી છે.પીડિતાએ કહ્યું હતું કે, ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કારણે તેને આ ઘટના બોલવાની હિંમત મળી છે.

વાંધાજનક ફોટા લઈને કરવા લાગ્યો બ્લેકમેઈલ

માનવીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષની ટ્રેનિંગ દરમિયાન તનવીરે તેને બહુ ત્રાસ આપ્યો હતો અને એક વખત તેને નશાની ગોળી આપીને તેના વાંધાજનક ફોટો પણ લઈ લીધા હતા.જેના આધારે તનવીર ખાન બાદમાં બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. તનવીર ખાન પર પીડિતા સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે.તનવીર ખાનની કરતૂતો સામે આવ્યા બાદ મોડેલ રાંચી છોડીને પોતાના ગામ ભાગલપુર પહોંચી હતી.ત્યાંથી તે મોડેલિંગ કરિયર માટે મુંબઈ આવી હતી.જોકે, તનવીર ખાન ત્યાં પણ પહોંચી આવ્યો અને માનવી પર ધર્મ પરિવર્તન કરીને તેની સાથે નિકાહ કરવાનું દબાણ કરવા લાગ્યો.જ્યારે પીડિતાએ તનવીરની વાત માનવાનો ઇનકાર કર્યો,તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.એટલું જ નહીં, તનવીર ખાને યુવતીના ફોટોઝ એડિટ કરીને તેના પરિવારને મોકલી દીધા હતા.એ પછી મોડેલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લખાવી હતી.બીજી તરફ આરોપી તનવીર ખાને માનવીએ તેના પર લગાવેલા તમામ આરોપો નકાર્યા છે અને મોડેલ પર ફ્રોડનો આરોપ મૂક્યો છે.પોલીસ હાલ મોડેલિંગની આડમાં લવ જેહાદના એન્ગલની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.

https://t.co/H6ZIdzrBsT
#lovejihad
Tanveer Akhtar Khan is blackmailing me for #conversion @ajeetbharti @rishibagree @Cyber_Huntss @KapilMishra_IND @NupurSharmaBJP @ShefVaidya @kajal_jaihind @OpIndia_in @narendramodi @myogiadityanath @mieknathshinde

— Manvi raj singh (@SinghManvi75084) May 28, 2023

ઝારખંડમાં અગાઉ પણ લવ જેહાદની ઘટનાઓ સામે આવી છે

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023માં ઝારખંડના જમશેદપુરમાં એક 14 વર્ષીય સગીરાએ મુસ્લિમ યુવક પર નામ બદલીને મિત્રતા કરવાનો અને પોલ ખુલી ગયા બાદ ધર્માંતરણ કરીને નિકાહ કરવા માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો.સમીર તરીકે પોતાની ઓળખ આપનારા શબ્બીરે સગીરાની આપત્તિજનક તસ્વીરો લઈને તેને બ્લેકમેઈલ કરી હતી જેથી પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.તો અન્ય એક કિસ્સામાં રબાની અંસારી નામના મુસ્લિમ યુવકે હિંદુ આદિવાસી હોવાનો ડોળ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી અને બાદમાં તેને કૂવા ફેંકી દીધી હતી.આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અરવલ્લી જિલ્લામાં પોલીસ આવાસનું કરાયુ લોકાર્પણ
બરેલીમાં મકાનની લાલચ આપીને 40 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાનો પર્દાફાશ, એકની ધરપકડ
ગાંધી તેરી સાબરમતી મેલી હો ગઈ, સાબરમતીનાં ગંદાપાણીથી પકવાતા શાકભાજી અમદાવાદ શહેર ખાય છે
Corona સંકટથી દુનિયાના 70 કરોડ ગરીબોને બચાવવા માટે જોઈશે 90 અરબ ડોલર
ફક્ત 21 દિવસમાં સ્પુટનિકના બે ડોઝ અપાશે, જાણો- કેટલી અસરકારક છે નવી વેક્સિન
Share This Article
Facebook Email Print
Previous Article અયોધ્યા ઍરપોર્ટનો આવતા મહિનાથી પ્રારંભ
Next Article સિંગતેલ અને કપાસિયા તેલ થયું સસ્તું, નવો ભાવ વાંચીને ડબ્બો લેવા દોડશો !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up