By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લશ્કર એ તોઈબાના સાથે નાતો ધરાવતા પુણેના જુનૈદનો સાગરિત કાશ્મીરથી ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લશ્કર એ તોઈબાના સાથે નાતો ધરાવતા પુણેના જુનૈદનો સાગરિત કાશ્મીરથી ઝડપાયો
GeneralMumbai

લશ્કર એ તોઈબાના સાથે નાતો ધરાવતા પુણેના જુનૈદનો સાગરિત કાશ્મીરથી ઝડપાયો

HM News
Last updated: 03/06/2022 6:49 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સેલ(એટીએસ)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી પુણેથી પકડાયેલા જુનૈદના સંપર્કમાં રહેતા એક આતંકવાદીને કાશ્મીરથી પકડી પાડયો હતો.પકડાયેલો આતંકવાદી લશ્કર-એ-તોઇબા માટે કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.થોડા દિવસ પહેલા એટીએસએ પુણેથી એક તરુણને પકડી પાડયો હતો.

તેનતપાસમાં તેનું નામ મોહમ્મદ જુનૈદ હોવાનું સ્પષ્ટ થયું હતું.તેની પુણેના દાપોડી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.જુનૈદ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા માટે કામ કરતો હતો.આ પ્રકરણે તેની વિગતવાર તપાસમાં તે કાશ્મીરના અન્ય એક આતંકવાદીના સંપર્કમાં હોવાનું તેની મોબાઇલ ચેટ પરથી જાણવા મળ્યું હતું.મોબાઇલ ચેટમાં તેણે દેશવિરોધી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ એટીએસએ કાશ્મીરથી તેની ધરપકડ કરી હતી.તેને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર મુંબઈ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જુનૈદના આ સાગરિતને મુંબઈ લાવ્યા પછી તેની વધુ વિગતો જાહેર કરાશે.તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પહેલાં જુનૈદની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને ૩ જૂન સુધીની એટીએસની કસ્ટડી ફટકારવામાં આવી હતી.દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જુનૈદ બાબતની માહિતી મહારાષ્ટ્ર એટીએસને આપતા એટીએસએ તેની પુણેના દાપોડીથી ધરપકડ કરી હતી.જુનૈદ(૨૮)મૂળ મહારાષ્ટ્રના ખામગાવનો વતની હોઈ બેરોજગાર હતો.તે આ દરમિયાન આતંકી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ તે છેલ્લા બે વર્ષમાં છ વાર કાશ્મીર જઈ આવ્યો હતો.તે ફેસબુકના માધ્યમથી આતંકી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો.તે ફેસબુક અને વોટ્સએપ પર સતત સીમકાર્ડ બદલી આતંકી સંગઠનોના સંપર્કમાં રહેતો.આ દરમિયાન તેને આતંકા ગતિવિધિ માટે નવા લોકોની ભરતીનું કામ પણ સોંપવામાં આવ્યું હતું.તે અમુક હેન્ડલરોના પણ સંપર્કમાં હતો અને મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ રેકી પણ કરી હતી.તેના ખાતામાં આતંકી સંગઠનો તરફથી બે વાર પાંચ-પાંચ હજાર રૃપિયા પણ જમા કરવામાં આવ્યા હતા.જુનૈદ ત્યારબાદ સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી ગયો અને તેની તમામ ગતિવિધિઓ પર તેમ જ સોશિયલ મિડિયા પર એજન્સીઓ નજર રાખી રહી હતી અન ેઅંતે એટીએસએ તેને પકડી પાડયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? જાણો આ રહસ્ય
bettilt yeni adresiTanitim Siteleridir Profesyonel Tanitim
આંતકી હુમલાના એલર્ટના પગલે વલસાડ પોલીસનું સધન ચેકિંગ
જઘન્ય અપરાધમાં સામેલ સગીર પર પુખ્તવયના લોકોની જેમ જ કેસ ચાલશે..!
આંતકી જૈવિક હુમલાને અંજામ આપી શકે છે : UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે
Share This Article
Facebook Email Print
Previous Article સાકીનાકા બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી મોહન ચવ્હાણને ફાંસીની સજા
Next Article દિવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે 2ના મોત : મહિલા ગંભીર જખમી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up