નવી દિલ્હી : દેશના કુલ મળીને ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી ૧૨ રાજ્યો અને યુનિયન ટેરેટરીનો વ્યવહાર માટે અંગ્રેજીને બદલે હિન્દીને વધુ પસંદ કરે છે.(તેમ ૨૦૧૧ની વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવ્યું છે.)તેમાં એક સ્પષ્ટતા તે પણ કરવાની છે કે ભોજપુરી, રાજસ્થાની, હિન્દી અને છત્તીસગઢી જેવી કુલ ૫૬ માતૃભાષાઓ મૂળ તો હિન્દીમાંથી જ પ્રકટી હોવાથી હિન્દી તેની ઉપર છત્રની જેમ રહેલી છે. તેથી દેશના ૪૩% લોકો હિન્દી દેશની લિન્ક લેંગ્વેજ (સાંકળતી ભાષા) તરીકે રહેવી જોઈએ તેમ માને છે જે કેન્દ્રના ગૃહમંત્રીએ પણ દેશના વિવિધ રાજ્યોના કેટલાક વિદ્વાનો સાથે કરેલી ચર્ચા દરમિયાન તારણ મેળવ્યું હતું.તો બીજી તરફ અન્ય વિદ્વાનો સ્પષ્ટ રીતે જણાવે છે કે વિદેશોમાં જઈ વસવાટ કરવા માટે તેમજ વિકાસ માટે હિન્દી કરતા અંગ્રેજી વધુ ઉપયોગી હોવાથી અંગ્રેજીને જ લિન્ક લેન્ગ્વેજ (સાંકળતી ભાષા) તરીકે સ્વીકારવી વધુ યોગ્ય બનશે.આ બીજા વર્ગના વિદ્વાનોના કથનમાં વધુ તથ્ય લાગે છે સાથે તે પણ ભૂલવું ન જોઈએ કે મૌર્ય યુગના મધ્ય તબક્કા સુધી વિદ્વાનો વચ્ચેના વ્યવહારની ભાષા સંસ્કૃત હતી.જ્યારે દેશની એકતા અક્ષુણ્ણ હતી તે પછી છેક બ્રિટિશ શાસનમાં અંગ્રેજી ‘લિન્ક લેંન્ગવેજ’ બની રહી હતી. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજીનો વ્યાપ વધ્યો ત્યારે મુંબઈ પ્રાંતના ગવર્નર પદે રહેલા લોર્ડ એલ્ફીન્સ્ટનનો પૂનામાં કેમ્પ હતો ત્યારે તેઓ પુસ્તકો (અંગ્રેજી) જોતા હતા ત્યારે કોઈ પૂછે આપ શું કરો છો ? ત્યારે તેમણે કહ્યું, ‘હું આપણા પાછા (ઇંગ્લેન્ડ) જવાનો માર્ગ જોઈ રહ્યો છું.’આ શબ્દો પછી કેટલા સત્ય નીવડયા તે ૨૦મી સદીના સ્વાતંત્ર્ય સંગ્રામે દર્શાવી આપ્યું.