– દેશને હવે કોરોના વાયરસને નોર્મલ રીતે સ્વીકારતા સક્ષમ લોકોએ કામ પર પાછા ફરવું જોઈએ
નવી દિલ્હી:ભારતમાં જો કોરોના વાયરસનાં કારણે લોકડાઉનનો તબક્કો જો લાબો ચાલશે તો કોરોનાથી નહીં પરંતું ભુખમરાથી લોકોનાં મોત થશે, ઇન્ફોસીસનાં સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ એક વેબિનારમાં આ બાબત કહીં છે.મૂર્તિએ કહ્યું કે દેશને હવે કોરોના વાયરસને નોર્મલ રીતે સ્વીકારતા સક્ષમ લોકોએ કામ પર પાછા ફરવું જોઈએ.તે જ રીતે જે લોકો કોરોના વાયરસથી ગ્રસ્ત છે,તેઓએ પણ તેમનાથી સુરક્ષિત થવું જોઈએ.એક વેબિનારમાં ઇન્ફોસિસના સહ-સ્થાપક અને પૂર્વ અધ્યક્ષે કહ્યું, “આપણા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભારત આવી સ્થિતિને લાંબા સમય સુધી ચાલુ રાખી શકશે નહીં.કારણ કે એક સમય એવો આવશે જ્યારે ભૂખમરાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા કોરોના વાયરસથી મરી ગયેલા લોકો કરતા વધારે હશે.તેમણે કહ્યું કે કોવિડ -19 ના કુલ પોઝિટિવ કેસમાં મૃત્યુ દર 0.25 ટકાથી 0.50 ટકાની વચ્ચે છે.
ઘણા વિકસિત દેશોની તુલનામાં આ અત્યંત ઓછું છે.લોકડાઉનને કારણે અત્યાર સુધી ભારત કોરોના વાયરસને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે.આપણે ચેપ નિવારણમાં સફળ રહ્યા છીએ.અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં ગુરૂવાર સાંજ સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ 33,610 કેસ નોંધાયા છે.તેમાંથી,24,162 કેસ પોઝિટિવ છે જ્યારે 1,075 લોકો મૃત્યુ પામ્યા છે.8,373 લોકો સાજા થયા છે.મૂર્તિએ કહ્યું કે આશરે 19 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર ધરાવે છે.લોકડાઉનને કારણે તેમાંના મોટા ભાગનાએ આજીવિકા ગુમાવી છે.જો લોકડાઉન લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તો વધુ લોકો સાથે આવું થઈ શકે છે