લોકડાઉન : બેંકોએ વ્યાજ વસૂલવા વિરુદ્ધ કરાઈ અપીલ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર તેમજ RBI ને પાઠવી નોટીસ

HM News
2 Min Read

લોકડાઉન દરમિયાન બેંકો દ્વારા લોન પર લેવામાં આવતા વ્યાજ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને કેન્દ્ર, તેમજ (RBI) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે.અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં લોકડાઉન દરમિયાન કોઈ જાતની આવક થતી નથી,તો પછી લોકો બેંકોને વ્યાજ કેવી રીતે ચૂકવી શકે.સુપ્રિમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવાયું છે કે બેંકોએ વ્યાજ વસુલમાં માટે કેટલાક સમય માટે છૂટ આપી હતી પહેલા આ છૂટ 31 મે સુધી હતી જેને વધારીને હવે 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે પરંતુ જ્યારે આ સમયગાળો પૂરો થશે પછી બાકી વ્યાજ વસૂલ કરવામાં આવશે જે ખોટું છે.

RBI એ ટર્મ લોન લેવાવાળા ગ્રાહકોને આપી હતી રાહત

વરિષ્ઠ વકિલ રાજીવ દત્તા તરફથી કોર્ટમાં કહેવાયું છે કે બેંક લોનના હપતાને 3 મહિના વધારીને 6 મહિના કરવામાં આવ્યા હતા. જો કોર્ટ આ અંગે કંઇક નિર્ણય લે તો રાહતની બાબત હોઈ શકે છે. બેંકે હમણાં તો મને રાહત આપી રહી છે,પરંતુ આગળ જઇને મને સજા કરવાની વાત પણ કરી રહી છે. સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને નોટિસ પાઠવીને એક અઠવાડિયામાં આ બાબતે જવાબ માંગ્યો છે. આ કેસની સુનાવણી આગામી સપ્તાહે પણ કરવામાં આવશે.

ઘણી છૂટ આપવામાં આવી રહી છે

હકીકતમાં, લોકડાઉનને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી રહી છે. આ સિવાય રિઝર્વ બેંકે પણ છૂટછાટ આપી છે.RBI એ કોરોના વાયરસની મહામારી જોતાં અને હાલમાં લોકડાઉન જેવી પરિસ્થિતિઓને ધ્યાને રાખીને ટર્મ લોન લેવાવાળા ગ્રાહકોને રાહત આપી હતી અને આગામી ત્રણ મહિના સુધી તેમના હપ્તા ભરપાઈ નહીં કરવાની છૂટ આપી હતી.જે બાદ મોટાભાગની બેંકોએ માર્ચની EMI જૂનમાં લેવાનું કહ્યું હતું. હવે તેને વધારીને ઓગસ્ટ કરવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *