નવી દિલ્હી/કોલકત્તા : તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ટીએમસીના રાષ્ટ્રીય પ્રવકતા સુખેન્દુ શેખર રાયે દાવો કર્યો છે કે કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં છ મહિને પશ્ચિમમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની યોજના ઘડી કાઢી છે.ઈકોનોમિક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, આ માટે ભાજપે ચારે તરફથી આક્રમણ કરવાની રાજનીતિ તૈયાર કરી દીધી છે. તે રાજ્યના ઉત્તરના ભાગને અલગ કરવા માગે છે અને આ રીતે आसमुद्रानी हिमादि पर्यत ‘ તેવા ભારતના એક માત્ર રાજ્યને વિખંડિત કરવા માગે છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની તાજેતરની રાજ્યની મુલાકાત માટે ઉત્તર બંગાળ પસંદ કર્યું હતું.આ રીતે કેન્દ્ર દેશને અંદરથી જ વિભાજિત કરવા માગે છે, અને રાજ્યના અન્ય વિસ્તારોથી ઉત્તર બંગાળને અલગ પાડવા પ્રયત્નો કરે છે.કારણ કે, તેઓ જાણે છે કે તેમ કર્યા સિવાય તે ચૂંટણી જીતી શકે તેમ નથી.જો તેમ ન હોય તો, પાર્ટીના વિધાયક કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં અલગ ઉત્તર બંગાળનો મુદ્દો ઉઠાવી જ કંઈ રીતે શકે ?
તૃણમૂલના આ સાંસદે ભાજપની બીજી યોજના દર્શાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ‘કાનૂન વ્યવસ્થા’ની સ્થિતિ અંગે સતત સવાલો કરવા અને ચિંતા વ્યક્ત કરવાની કેન્દ્રીય નેતાઓની કાર્યવાહીઓ બીજું શું સૂચવે છે.તાજેતરમાં જ ભાજપ યુવા પાંખના નેતા અર્જુન ચૌરસિયાની હત્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તે કિસ્સામાં સીબીઆઈની તપાસની માંગણી કરી હતી.વિશેષત: રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી હિંસાનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે. ભાજપે બોગટુઈ ગામોમાં રામપુર હાટ હિંસા હંસખલી સામુહિક બળાત્કાર જેવી કોઈ પણ અન્ય ઘટનાઓ અને જનહિત યાચિકા દાખલ કરી છે, અને તે પણ મમતા બેનર્જીની સરકારે તે ઘટનાઓ અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધર્યા પછી.રોયે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની પ્રચંડ જીત પછી બંગાળના નેતાઓ અને મંત્રીઓ વિરૂદ્ધ પણ ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહેલ છે.