By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો
GeneralNational

લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો

HM News
Last updated: 10/05/2022 4:38 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી/કોલકત્તા : તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ટીએમસીના રાષ્ટ્રીય પ્રવકતા સુખેન્દુ શેખર રાયે દાવો કર્યો છે કે કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં છ મહિને પશ્ચિમમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની યોજના ઘડી કાઢી છે.ઈકોનોમિક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, આ માટે ભાજપે ચારે તરફથી આક્રમણ કરવાની રાજનીતિ તૈયાર કરી દીધી છે. તે રાજ્યના ઉત્તરના ભાગને અલગ કરવા માગે છે અને આ રીતે आसमुद्रानी हिमादि पर्यत ‘ તેવા ભારતના એક માત્ર રાજ્યને વિખંડિત કરવા માગે છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની તાજેતરની રાજ્યની મુલાકાત માટે ઉત્તર બંગાળ પસંદ કર્યું હતું.આ રીતે કેન્દ્ર દેશને અંદરથી જ વિભાજિત કરવા માગે છે, અને રાજ્યના અન્ય વિસ્તારોથી ઉત્તર બંગાળને અલગ પાડવા પ્રયત્નો કરે છે.કારણ કે, તેઓ જાણે છે કે તેમ કર્યા સિવાય તે ચૂંટણી જીતી શકે તેમ નથી.જો તેમ ન હોય તો, પાર્ટીના વિધાયક કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં અલગ ઉત્તર બંગાળનો મુદ્દો ઉઠાવી જ કંઈ રીતે શકે ?

તૃણમૂલના આ સાંસદે ભાજપની બીજી યોજના દર્શાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ‘કાનૂન વ્યવસ્થા’ની સ્થિતિ અંગે સતત સવાલો કરવા અને ચિંતા વ્યક્ત કરવાની કેન્દ્રીય નેતાઓની કાર્યવાહીઓ બીજું શું સૂચવે છે.તાજેતરમાં જ ભાજપ યુવા પાંખના નેતા અર્જુન ચૌરસિયાની હત્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તે કિસ્સામાં સીબીઆઈની તપાસની માંગણી કરી હતી.વિશેષત: રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી હિંસાનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે. ભાજપે બોગટુઈ ગામોમાં રામપુર હાટ હિંસા હંસખલી સામુહિક બળાત્કાર જેવી કોઈ પણ અન્ય ઘટનાઓ અને જનહિત યાચિકા દાખલ કરી છે, અને તે પણ મમતા બેનર્જીની સરકારે તે ઘટનાઓ અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધર્યા પછી.રોયે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની પ્રચંડ જીત પછી બંગાળના નેતાઓ અને મંત્રીઓ વિરૂદ્ધ પણ ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહેલ છે.

તમિલનાડુના પૂર્વ મંત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો, એબોર્શન માટે મજબૂર કર્યાનો અભિનેત્રીનો દાવો
શા માટે પત્નીથી છૂપાઈને પાટણ ગયા હતા ગૃહ રાજ્યમંત્રી સંઘવી ? : જાણો વિગતે
વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને અત્યારથી પોલીસ-બંદોબસ્ત વધારાયો
યોગી સરકારથી પ્રેરણા લઈ ગુજરાત સરકાર પણ લઈ શકે છે આ નિર્ણય
મોરબીમાં બૂથ બહાર BJPએ પત્રિકાનું વિતરણ કર્યું, નાગરિકે ચૂંટણી સ્ટાફને ખખડાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article કેજરીવાલનો વિપક્ષને ઝટકો : 2024નાં મહાગઠબંધનમાં જોડાવાનો કર્યો ઇન્કાર
Next Article હરિદ્વાર સ્ટેશન સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દઇશું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up