મુંબઈ,
નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC)ઓએ રિઝર્વ બેન્ક સમક્ષ માગણી કરી છે કે માર્ચ 2021 સુધી તમામ લોનનું વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ કરવા દેવા તેમને મંજૂરી મળવી જોઈએ.તેમણે કહ્યું છે કે તેમના મોટાભાગના બોરોઅર્સ(ઋણધારકો) કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે હાલ આર્થિક સમસ્યામાં સપડાયા છે.એનબીએફસીએ આ ઉપરાંત રિઝર્વ બેન્કનું મોરેટોરિયમ પણ લંબાવવા માટે માગણી કરી છે.પ્રોવિઝનિંગના નિયમોમાં રાહતો લંબાવવા અને સિડબી તથા નાબાર્ડ પાસેથી વધારાના ફંડિંગમાં પણ રાહત આપવાની તેમણે માગણી કરી છે.
રિઝર્વ બેન્કે સોમવારે ઉદ્યોગ જગત સાથે બેઠક યોજી હતી અને તેમના સૂચનો લીધા હતા જેમાં એનબીએફસી તરફથી આ સૂચનો આપવામાં આવ્યા હતા. NBFC તરફથી ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (FIDC)એ પ્રતિનિધિત્વ કર્યું હતું.એફઆઈડીસીએ આરબીઆઈને કહ્યું હતું કે તેના તમામ કસ્ટમર્સ હાલ કેશ ફ્લો સાઈકલમાં ડિસરપ્શનનો સામનો કરી રહ્યા છે અને આ ડિસરપ્શન આગામી માર્ચ મહિના સુધી રહેવાની ધારણા છે.ટ્રાન્સપોર્ટ ઓપરેટરો, કોન્ટ્રાક્ટરો અને માઈક્રો,સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીસ (MSME)ને સૌથી વધુ અસર થઈ છે.FIDCએ માગણી કરી હતી કે લોન રિપેમેન્ટ શિડ્યૂલમાં સુધારો કરવા માટે અને લોનનો સમયગાળો વધારવા માટે કે ઈએમઆઈમાં ફેરફાર સહિતની બાબતોમાં સુધારો કરવા માટે વન-ટાઈ રિસ્ટ્રક્ચરિંગ માટે માર્ચ 2021 સુધીનો સમયગાળો આપવો જોઈએ.
હાલમાં આરબીઆઈએ બેન્કો અને એનબીએફસીને MSMEની વર્તમાન લોનના વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ માટે ડિસેમ્બર 2020 સુધીનો સમય આપ્યો છે. એનબીએફસી ઈચ્છે છે કે વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ તમામ અન્ય બોરોઅર્સ માટે પણ હોવું જોઈએ.ત્રણ મહિનાના મોરેટોરિયમથી થોડી રાહત થઈ છે, પરંતુ જે ડિસરપ્શન થયું છે તે જોતા ચોથા મહિનાથી લોન સર્વિસિંગ શરૂ થઈ જશે તેવું માની શકાય તેમ નથી.
તેણે કહ્યું કે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ(TLTRO 2.0)ના અનુભવ પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે બેન્કો હાલ તો લોન આપવાને બદલે જોખમ ટાળવાના મૂડમાં છે. TLTRO 2.0ના પ્રથમ તબક્કામાં ~25,000 કરોડની રકમ સામે માત્ર ~12,850 કરોડની બિડ આવી હતી.એનબીએફસી બોડીએ કહ્યું છે કે આરબીઆઈએ સિડબી અને નાબાર્ડ અને અન્ય સંબંધિત ઈન્સ્ટિટ્યૂશન્સ મારફતે રિફાઈનાન્સની મિકેનિઝમ ઊભી કરવી જોઈએ અને ફંડ માટે વિચારણા કરવી જોઈએ જેથી તેઓ એનબીએફસી સેક્ટરને લાંબા ગાળાની લોન આપી શકે.આરબીઆઈએ TLTRO 2.0નું સબસ્ક્રાઈબ ન થયેલું ફંડ સિડબી અને નાબાર્ડને આપવા પણ વિચારવું જોઈએ.
એનબીએપસીએ કહ્યું છે કે તેમના બોરોઅર્સ અને તેમના બિઝનેસનું જે સ્વરૂપ છે તેમાં ઈએમઆઈ થોડાં દિવસ મોડાં ભરવા એ રૂટિન બાબત છે. સ્થાનિક પરિબળોને કારણે આમ થતું હોય છે.જેમ કે ટ્રક ઓપરેટરો પોતે લાંબા ગાળા સુધી ઘરે હોતા નથી.આથી આવા કારણોસર મોડું થયું હોય તો તે કંઈ ક્રેડિટ રિસ્ક નથી થઈ જતું.આવા ગ્રાહકો નોંધપાત્ર સંખ્યામાં છે જેઓ ચોક્કસ તારીખના 30 દિવસમાં તેમના ઈએમઆઈ ચૂકતે કરી દેતા હોય છે.


