By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લો બોલો ! શિવસેનામાં થયેલા બળવો હજી શમ્યો નથી ત્યાં હવે હવે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય પણ નૉટ રીચેબલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લો બોલો ! શિવસેનામાં થયેલા બળવો હજી શમ્યો નથી ત્યાં હવે હવે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય પણ નૉટ રીચેબલ
GeneralMumbaiPolitics

લો બોલો ! શિવસેનામાં થયેલા બળવો હજી શમ્યો નથી ત્યાં હવે હવે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય પણ નૉટ રીચેબલ

HM News
Last updated: 22/06/2022 10:03 AM
HM News
3 years ago
Share
SHARE

મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત ગણાતા અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ બળવો પોકાર્યા વચ્ચે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો પણ સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું હતું.વિધાન પરિષદની ચૂંટણીમાં સંખ્યા ન હોવા છતાં પાંચેય ઉમેદવારો વિજયી થવાથી મોટા પ્રમાણમાં ક્રૉસવોટિંગ થવાથી મહાવિકાસ આઘાડી સરકારને જોરદાર આંચકો લાગ્યો હતો.ક્રૉસવોટિંગ બાદ કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો સંપર્કમાં ન હોવાથી પક્ષની ચિંતામાં વધારો થયો હોવાનું કહેવાય છે.

શિવસેનાના એકનાથ શિંદેએ પક્ષમાં બળવો કર્યાની જાણ થયા બાદ કૉન્ગ્રેસ દ્વારા એના તમામ વિધાનસભ્યોને મુંબઈ પહોંચવાનું કહેવામાં આવ્યું હતું.વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવા માટે પક્ષે બે દિવસથી તમામ વિધાનસભ્યોને ફોર સીઝન્સ હોટેલમાં રાખ્યા હતા.સોમવારે મતદાન કર્યા બાદ મોટા ભાગના ઉમેદવારો તેમના મતદાર સંઘમાં પાછા ગયા હતા.જોકે ગઈ કાલે તેમને મુંબઈ પાછા ફરવાનું કહેવાયું હતું.પક્ષના ૪૪માંથી ૩૯ વિધાનસભ્યો જ મુંબઈ પાછા ફર્યા હતા.આથી પાંચ વિધાનસભ્ય નૉટ રીચેબલ હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યના રિલીફ અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવાર સહિતના કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પક્ષથી નારાજ હોવાથી સંપર્કમાં આવેલા પાંચ વિધાનસભ્યોમાં તેમનો પણ સમાવેશ હોઈ શકે છે.વિધાન પરિષદની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ચંદ્રકાંત હંડોરેનો પરાજય થયો હતો.પક્ષના પહેલા ક્રમાંકના તેમને અને બીજા ઉમેદવાર ભાઈ જગતાપને ૪૪માંથી ૪૧ મત જ મળ્યા હતા.આથી પક્ષના ૩ વિધાનસભ્યો ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું.વિધાન પરિષદની ચૂંટણીમાં પરાજય થવાથી બાળાસાહેબ થોરાતે જવાબદારી સ્વીકારીને ગ્રુપ લીડરના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.

બારડોલી માહ્યાવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે નોટબૂક વિતરણ
સુરતમાં વેપારીની ગાડીમાંથી 11.70 લાખ ભરેલી બેગની ચોરી
દ્વારકામાં ભારે પવનથી દ્વારકાધીશ મંદિરનો શિખરનો ધ્વજા ચડાવવાનો દંડ તૂટ્યો
અમારા જ મત મેળવીને તમે સંસદસભ્ય બન્યા છો, રાજ્યસભામાંથી રાજીનામું આપો અને પછી બોલો
જો બાઈડેને ભારતીય મૂળની શાલીના ડી કુમારને બનાવી ફેડરલ ન્યાયાધીશ
Share This Article
Facebook Email Print
Previous Article જાણો શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેના બળવા પાછળની થિયરીઓ
Next Article થાણેમાં એકનાથ શિંદેના ઘરની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up