અમદાવાદ : વટવામાં પાણીની મોટરથી વીજ કરંટ લાગતા સગીરાનું સારવાર દરમિયાન બે કલાકમાં મોત થયું હતું,જ્યારે નારોલમાં પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હતું.આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નારોલમાં મેટ્રો ટ્રેઇન ડેપો સામે નદીમાં ડૂબી જતા યુવકનું મોત આ કેસની વિગત એવી છે કે વટવા વાંદરાવટ તળાવ પાસે ભીમનાથ સોસોયટીમાં રહેતા વૈષ્ણવી કપીલદેવ મિશ્રા(ઉ.વ.૧૪)ગઇકાલે સવારે ૬.૪૫ વાગે પોતાના ઘરે પાણી ભરવા માટેની મોટર ચાલુ કરી હતી અને પાણી ભરીને મોટર લેવા જતાં અચાનક કરંટ લાગ્યો હતો.સારવાર દરમિયા એલ.જી. હોસ્પિટલમાં મોત થયું હતું.બીજા બનાવમાં નોરાલમાં પીપળજ રોડ ઉપર ગણેશનગરના છાપરામાં રહેતા શાહરુખ રફીકભાઇ શેખ(ઉ.વ.૨૦)તા.૨૯ના રોજ સાંજે ૪.૫૦ વાગે નારો મેટ્રો ટ્રેઇનના ડેપો સામે સાબરમતી નદીમાં નાહવા પડેલા હતા.જેનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ ઘટના અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.