[weather_data]
Breaking News
TRENDING NEWS

વડગામમાં ખેતરની જમીન માલિકી મુદ્દે થયેલા હુમલાથી હિન્દુ સમાજ લાલઘૂમ

[updated_date] [post_views]

Table of Content

પાલનપુર : વડગામ તાલુકાના રજોસણા ગામમાં હિન્દુ સમાજ પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા ખુની હુમલાના પડઘા સમગ્ર હિન્દુ સમાજ માં પડ્યા છે. હિન્દુ સમાજની જમીન પચાવી પાડવાના બદ ઇરાદાથી કેટલાક તત્વો દ્વારા હિન્દુ સમાજ પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં હિન્દૂ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ જઇ આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી.રજોસણામાં હિન્દુ સમાજ પર જાન થી મારી નાખવા ના ઇરાદા થી હુમલો કરાયો હતો.જેમાં દરજી પરિવારના સભ્યો હોસ્પિટલમાં દાખલ હોઇ આજ રોજ બનાસકાંઠા હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને ધારદાર રજૂઆત કરાઇ હતી.

હિન્દુ સમાજ દ્વારા જણાવ્યું હતું કે, પરિવારની જમીન પચાવી પાડવાના બદ ઇરાદા સાથે ટોળું કુહાડી,તલવાર,ધારિયા સાથે ઘૂસી આવેલું અને જમીન પર ગેર કાયદેસર રીતે કબ્જો કરવાનો પ્રયત્ન કરેલ અને જાન થી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ફરિયાદમાં યોગ્ય કલમો દાખલ કરવામાં આવી નથી.સમગ્ર મામલો કલેકટર ગંભીરતા થી લઇ કલમ ૩૦૭, ૪૨૦ અને ગુંડા એકટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે જો આગામી સમયમાં કાર્યવાહી નહિ થાય તો સમગ્ર હિન્દુ સમાજ રજોસણા કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles