આ બન્ને નેતાઓએ ઇન્ટરનૅશનલ એનર્જી અને ફૂડ માર્કેટ્સની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ વિશે ચર્ચાવિચારણા કરી હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી,જેમાં તેમણે વાતચીત અને ડિપ્લોમસી દ્વારા યુક્રેનની સ્થિતિનો ઉકેલ લાવવાના ભારતના લાંબા સમયના વલણનો પુનરુચ્ચાર કર્યો હતો.તેમની ટેલિફોનિક વાતચીતમાં આ બન્ને નેતાઓએ ઇન્ટરનૅશનલ એનર્જી અને ફૂડ માર્કેટ્સની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ વિશે ચર્ચાવિચારણા કરી હતી.આ બન્ને નેતાઓએ ડિસેમ્બર ૨૦૨૧માં પ્રેસિડન્ટ પુતિનની ભારતની મુલાકાત દરમ્યાન લેવામાં આવેલા નિર્ણયના અમલની સમીક્ષા કરી હતી.