By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વધુ એક સમાજે સત્તા પક્ષ વિરૂદ્ધનો સુર આલાપ્યો, અગ્રણીએ કહ્યું કે ભાજપને મતદાન નથી કરવાનું : જુઓ (VIDEO)
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વધુ એક સમાજે સત્તા પક્ષ વિરૂદ્ધનો સુર આલાપ્યો, અગ્રણીએ કહ્યું કે ભાજપને મતદાન નથી કરવાનું : જુઓ (VIDEO)
GeneralGujarat NowPolitics

વધુ એક સમાજે સત્તા પક્ષ વિરૂદ્ધનો સુર આલાપ્યો, અગ્રણીએ કહ્યું કે ભાજપને મતદાન નથી કરવાનું : જુઓ (VIDEO)

HM News
Last updated: 24/11/2022 8:27 AM
HM News
3 years ago
Share
SHARE

– ભાજપ,કોંગ્રેસમાંથી એક પણ ટિકિટ ન આપતા નારાજગી
– ચૂંટણીમાં ભાજપને મત ન આપવાનો લીધો નિર્ણય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે હજી પણ ટિકીટ વહેચણીને લઈ કેટલાક લોકોમાં નારાજગી યથાવત્ જોવા મળી રહી છે.જેને લઈને અનેક જગ્યાઓ પર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.આવા જ વિરોધના સૂર જામનગર જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.જેમાં ભાજપ કે કોંગ્રેસ તરફથી સતવારા સમાજને એક પણ ટિકિટ ન આપતા નારાજગી જોવા મળી રહે છે.જેને લઈને જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખે તેમના પદેથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 44 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અને હાલ જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણે જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.જામનગર ગ્રામ્ય બેઠક પર સતવારા સમાજની દાવેદારી હતી.જામનગર ગ્રામ્ય બેઠક પર સતાવાર સમાજના 35,000 જેટલા મતદારો છે.આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાંથી સતવારા સમાજના નેતાઓએ ટિકિટ માગી હતી.જો કે બંનેમાંથી એકપણ પક્ષે ટિકિટ આપી ન હોવાથી સતવારા સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ રાજીનામું આપતા જણાવે છે કે, અમારા સમાજના કોઈપણ છોકરાને હોદ્દા માટે 10 વર્ષથી અમારી રજૂઆત ચાલ્યા કરે છે. હા હા કરે છે.પણ આપતા નથી.અમારા સમાજ સાથે પુષ્કળ અન્યાય થઈ રહ્યો છે.એટલે મેં પ્રમુખ તરીકે પણ ઘણી રજૂઆત કરી,તેમ છતાં પક્ષે કોઈ રજૂઆત માન્ય ન રાખી.એટલે હું ભાજપના ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપું છું.હું ગામો ગામ જઈ મારા સમાજને નિર્ણય અપાવીશ.અત્યારે ભાજપને મતદાન નથી કરવાનું.જે જીતતો હોય તેને ટેકો આપવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નો રિપીટ કરતા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે.ચૂંટણી ટાણે વિરોધી મતદાનની વાતો થતા હાલ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.રાજકીય પાર્ટીઓ એક સાંધે તો બીજું તૂટે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે આ ખરાખરીની ટક્કરમાં બાજી કોણ મારશે તે જોવું રહ્યું.

સુરત માંગરોળનો ઈસ્માઈલ લોકોને ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા ! : પોલીસે રિક્ષામાંથી દબોચ્યો
BAPS સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ(ડાંગ) માં “નવા સ્કુલ બિલ્ડીંગ” ના ખાતમુર્હુત કાર્યકર્મ યોજાયો
કામરેજમાં મહિન્દ્રા બુલેરોમાં શાકભાજીના ખાલી કેરટની આડમાં લઈ જવાતો 2.70 લાખનો દારૂ ઝડપાયો
દરેક મેચમાં પ્લેઇંગ ઇલેવનને કેમ બદલવામાં આવે છે..?!!: કપિલ દેવ
સુરત ગ્રીષ્મા હત્યા કેસ: કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપના પબુભાએ રાહુલને દેશનો કમો ગણાવતા રાજકીય માહોલ ગરમાયો : જુઓ VIDEO
Next Article કુતુબુદ્દીન-અશોક પરમાર : જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up