By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વર્ષે ૧૦૦ કરોડની આવકને આંબતું કચ્છ એસટીનું ગાડું પ૯ કરોડે અટક્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વર્ષે ૧૦૦ કરોડની આવકને આંબતું કચ્છ એસટીનું ગાડું પ૯ કરોડે અટક્યું
GeneralGujarat Now

વર્ષે ૧૦૦ કરોડની આવકને આંબતું કચ્છ એસટીનું ગાડું પ૯ કરોડે અટક્યું

HM News
Last updated: 09/01/2021 10:02 AM
HM News
4 years ago
Share
SHARE

ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં ૪૦ કરોડ જેટલી આવક ઘટી:લોકડાઉન દરમ્યાન મહિનાઓ સુધી પરિવહન ઠપ્પ, મેળા – મલાખડાઓ પણ રદ્‌ થયા અને હવે ૭પ ટકા કેપેસિટી મુજબ જ પ્રવાસીઓ બેસાડવાની પરવાનગી હોઈ આવકમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો:૧૦૦ ટકા કેપેસિટીની મંજૂરી વહેલી તકે નહીં મળે તો ખોટનો ખાડો વધુ ઉંડો થવાનો સત્તાધીશોને ભય

(બ્યુરો દ્વારા)ભુજ:વૈશ્વિક મહામારી કોરોનાએ અર્થતંત્ર પર ગંભીર અસરો પાડી છે. કોરોનાના કહેર વચ્ચે મહિનાઓ પસાર થઈ ગયા છે.જો કે, સ્થિતિ હજુ થાળે પડવાનું નામ લઈ રહી નથી. ખાનગી ઉદ્યોગ ધંધાઓની સાથોસાથ સરકારી સાહસો પર પણ કોવિડ-૧૯ની અવળી અસરો જોવા મળી રહી છે.પ્રવાસીઓની સંખ્યા ઘટતા ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ તો મંદીના વમળમાં ગરકાવ થઈ જ ગયો છે તેની સાથોસાથ એસટી તંત્રને પણ મોટો ફટકો પડયો હોઈ આવકમાં મોટી ઘટ્ટ જોવા મળી રહી છે.

આ અંગેની વિગતો મુજબ કચ્છ એસટીની ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ૪૦ કરોડ જેટલી આવક ઘટી છે.કોરોનાએ એસટીની આવક પર ‘કાતર’ ફેરવતા વર્ષે ૧૦૦ કરોડની આવકને આંબતું કચ્છ એસટીનું ગાડું આ વખતે પ૯ કરોડે અટકી ગયું છે. જાન્યુઆરી ર૦૧૯ થી ડિસેમ્બર ર૦૧૯ સુધી કચ્છ એસટીને ૧,૦૦,૦૪,૪પ,૪૭૦/-ની આવક થઈ હતી,જ્યારે જાન્યુઆરી ર૦ર૦ થી ડિસેમ્બર ર૦ર૦ સુધી પ૯,૯૦,૮૬,૯૯૭/-ની આવક થઈ હતી.ર૦૧૯ અને ર૦ર૦ના વર્ષની સરખામણીએ આવકમાં ૪૦ કરોડનો ઘટાડો થયો છે.

આવકના ઘટાડા પછવાડેના કારણો તપાસીએ તો લોકડાઉન દરમ્યાન મહિનાઓ સુધી પરિવહન ઠપ્પ રહ્યું હતું.તો સરકારી ગાઈડલાઈનને પગલે મેળા – મલાખડાઓ પણ રદ્‌ થતા એસટીને વધારાની ટ્રીપો દોડાવવાનો લાભ પણ મળ્યો નથી.અનલોક દરમ્યાન એસટીની સુવિધા શરૂ તો થઈ પણ હવે ૭પ ટકા કેપેસિટી મુજબ જ પ્રવાસીઓ બેસાડવાની પરવાનગી હોઈ આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૧૦૦ ટકા કેપેસિટીની મંજૂરી વહેલી તકે નહીં મળે તો ખોટનો ખાડો વધુ ઉંડો થવાનો સત્તાધીશોને ભય સતાવી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,કોરોનાનું સંક્રમણ સતત ફેલાતું જઈ રહ્યું હોઈ લોકો જરૂરી કામ વગર મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.બીજીતરફ જાહેર પરિવહનના સાધનોના બદલે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની પ્રણાલી વધી હોઈ તેના લીધે પણ એસટી બસોમાં પ્રવાસીઓ ઘટી રહ્યા હોઈ આવકમાં પણ ગાબડું પડયું છે.

સાઉદી અરેબિયા 766 અબજ રૂપિયા ખર્ચીને બનાવશે આઠમી અજાયબી, જાણો શું છે ‘મિરર લાઈન’
જામનગરમાં નવાગામ વિસ્તારમાં જુદા-જુદા બે રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો
સુરતમાં પ્રવેશ માટે નેગેટીવ રીપોર્ટ ફરજીયાત તેમજ સ્થળ પર જ ટેસ્ટીંગ કરાશે
જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું: જાવ તમને કોરોના વાયરસ થઈ જાય
પત્નીથી ખોટુ બોલી ‘પ્રેમિકા’ સાથે ઈટલી ફરવા ગયો, પાછો આવ્યો તો કોરોના લઈ આવ્યો !
Share This Article
Facebook Email Print
Previous Article ભાડે રહેનારા માટે CMનો આદેશ,મકાન માલિક મનફાવે એટલું ભાડું નહીં વધારી શકે
Next Article ચીખલી વાંસદા માર્ગ ઉપર સાતપીપળા નજીક કારમાં આગ લાગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up