By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન
GeneralSouth Gujarat

વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન

HM News
Last updated: 27/07/2021 11:00 AM
HM News
4 years ago
Share
SHARE

લસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.આથી આજે દક્ષિણ ગુજરાત બારી બારીયા સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું.જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વલસાડ જિલ્લામાં થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિને રોકવા માટે માંગ કરી હતી.લોકોને લોભ લાલચ આપી અને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર થતી આવી ધર્માંતરણની પ્રવૃત્તિમાં જોડાયેલા ખ્રિસ્તી મિશનરીઓને શોધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગામના બારી બારીયા સમાજના એક જ પરિવારના એક સાથે સાત સભ્યો હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.મરોલીના દાંડીના ચર્ચમાં થયેલી આ બારીયા સમાજના પરિવારની ધર્માંતરણની વિધિને લઇ મોટો વિવાદ થયો હતો.આથી પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.

જોકે આ સિવાય પણ આ ગામના 40 થી વધુ બારી બારીયા સમાજના પરિવારોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે આજે બારી બારીયા સમાજના આગેવાનો કલેકટરને મળ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવાની માંગ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટા પાયે આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.આથી ભરાયેલા હિંદુ સંગઠનોએ અનેક વખત રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સ્થાનિક તંત્રને પણ રજૂઆતો કરી અને આ પ્રવૃત્તિ અટકાવવા માંગ કરી છે.તેમ છતાં હજુ સુધી જિલ્લામાં ધર્માંતરણની પ્રવૃત્તિ અટકી નથી.

બૉલિવૂડની જાણીતી સિંગર કોરોના પોઝિટિવ, લંડનથી આવીને કરી પાર્ટી, ઘણા નેતા હતા સામેલ
મહાત્મા ગાંધીને મુસ્લિમ કહેનાર હિંદુત્વવાદી નેતા સંભાજી ભિડેની અરેસ્ટ કરો : કોંગ્રેસ
ગુજરાત સરકારના આ મંત્રીના મોટા ભાઈ BJP છોડીને કોંગ્રેસમાં જોડાયા
સુરતમાં પડેલા સતત વરસાદની કારણે નીચાણ વાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની કામગીરી બતાવવા મ્યુ.સ્કૂલબોર્ડે ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવવા ૪.૭૨ લાખનો ખર્ચ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી નગરપાલિકાના કથિત ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસનું મૌન
Next Article સુરત : મહિલાઓનું મોંઘવારી પર ગવાયેલું ભજન સોશિયલ મીડિયામાં વાઈરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up