વલસાડ, 26 જૂન : વલસાડ મામલતદાર કચેરીની ઇ-ધરા કેન્દ્રમાં ડેટા એન્ટ્રીની ક્ષતિ સુધારવા સહિતના રેવન્યુના કામો માટે જતાં અરજદારો સાથે નાયબ મામલતદાર દ્વારા તોછડું વર્તન કરવાની ફરિયાદ ઉઠી છે.
આજે 3 વર્ષ થયા છતાં સુધારો ન કરાતાં 9 જૂને ફરીથી અરજી કરી.રાજ્ય સરકાર દ્વારા મહેસુલી દફતરને જાન્યુઆરી 2004થી કમ્યુટરાઇઝ્ડ કરી ઓનલાઇન કરવામાં આવ્યું છે.આ કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રી કરતી વખતે હસ્તલિખિત રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન વેળા ક્ષતિ રહી ગઇ હતી. જે રેકર્ડ સાથે સુસંગત ન હોય પરિપત્ર પાઠવી આવા કિસ્સામાં અરજદારને અપીલ, રિવિઝન કે એફિડેવિટ કરવાની ફરજ પાડવા વગર ભૂલો સુધારવા જણાવાયું હતું. વલસાડના અરજદાર મનસુખ શેઠિયાએ જમીનના હક્કપત્રકમાં થયેલી ક્ષતિ સુધારવા અને નોંધનું બીજું પાનુ સ્કેર કરી તેને ઓનલાઇન કરવા 2017માં અરજી કરી હતી,પરંતું આજે 3 વર્ષ થયા છતાં સુધારો ન કરાતાં 9 જૂને ફરીથી અરજી કરી હતી.
મામલતદારનો સંપર્ક કરાતા, આ અરજી ઇ-ધરા કેન્દ્રમાં ફોરવર્ડ કરવાનું જણાવાયું હતું. જેને લઇ અરજદાર ઇ-ધરાના નાયબ મામલતદારને મળી રજૂઆત કરી તો તેમનો પારો આસમાને ચઢી ગયો હતો. રજૂઆતો છતાં ઉધ્ધત જવાબો આપતાં અરજદાર મનસુખભાઇ શેઠિયાએ કલેકટરને ઉપરોક્ત તમામ હકીકતોની મામલતદાર એમ.એ.વસાવાને જણાવી નાયબ મામલતદાર સામે કાર્યવાહી કરવા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી. કોઇ પરિપત્ર નથી,જાઓ માથુ ન ખાઓ.
અરજદાર મનસુખ શેઠિયાએ કલેકટરને લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇ-ધરાના નાયબ મામલતદાર હાર્દિક તોગડિયાએ અરજીનો જવાબ આપવાના બદલે અરજીની વિગત પણ ચકાસી ન હતી.તેમણે એન્ટ્રી ચેક કરી જરૂરી સુધારો કરવો જોઇએ જેથી સરકારનો રેકર્ડ સુસંગત થાય અને તેના માટે સરકારનો પણ પરિપત્ર છે તેવું જણાવવા છતાં નાયબ મામલદારે પરિપત્ર નથી,જાઓ માથુ ન ખાઓ તેવો જવાબ આપ્યો હોવાની રાવ કરી હતી.