By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ ઇ-ધારામાં ના.મામલતદારે અરજદારને ખખડાવતા કલેકટરને રાવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ ઇ-ધારામાં ના.મામલતદારે અરજદારને ખખડાવતા કલેકટરને રાવ
GeneralSouth Gujarat

વલસાડ ઇ-ધારામાં ના.મામલતદારે અરજદારને ખખડાવતા કલેકટરને રાવ

HM News
Last updated: 26/06/2020 8:57 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 26 જૂન : વલસાડ મામલતદાર કચેરીની ઇ-ધરા કેન્દ્રમાં ડેટા એન્ટ્રીની ક્ષતિ સુધારવા સહિતના રેવન્યુના કામો માટે જતાં અરજદારો સાથે નાયબ મામલતદાર દ્વારા તોછડું વર્તન કરવાની ફરિયાદ ઉઠી છે.

આજે 3 વર્ષ થયા છતાં સુધારો ન કરાતાં 9 જૂને ફરીથી અરજી કરી.રાજ્ય સરકાર દ્વારા મહેસુલી દફતરને જાન્યુઆરી 2004થી કમ્યુટરાઇઝ્ડ કરી ઓનલાઇન કરવામાં આવ્યું છે.આ કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રી કરતી વખતે હસ્તલિખિત રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન વેળા ક્ષતિ રહી ગઇ હતી. જે રેકર્ડ સાથે સુસંગત ન હોય પરિપત્ર પાઠવી આવા કિસ્સામાં અરજદારને અપીલ, રિવિઝન કે એફિડેવિટ કરવાની ફરજ પાડવા વગર ભૂલો સુધારવા જણાવાયું હતું. વલસાડના અરજદાર મનસુખ શેઠિયાએ જમીનના હક્કપત્રકમાં થયેલી ક્ષતિ સુધારવા અને નોંધનું બીજું પાનુ સ્કેર કરી તેને ઓનલાઇન કરવા 2017માં અરજી કરી હતી,પરંતું આજે 3 વર્ષ થયા છતાં સુધારો ન કરાતાં 9 જૂને ફરીથી અરજી કરી હતી.

મામલતદારનો સંપર્ક કરાતા, આ અરજી ઇ-ધરા કેન્દ્રમાં ફોરવર્ડ કરવાનું જણાવાયું હતું. જેને લઇ અરજદાર ઇ-ધરાના નાયબ મામલતદારને મળી રજૂઆત કરી તો તેમનો પારો આસમાને ચઢી ગયો હતો. રજૂઆતો છતાં ઉધ્ધત જવાબો આપતાં અરજદાર મનસુખભાઇ શેઠિયાએ કલેકટરને ઉપરોક્ત તમામ હકીકતોની મામલતદાર એમ.એ.વસાવાને જણાવી નાયબ મામલતદાર સામે કાર્યવાહી કરવા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી. કોઇ પરિપત્ર નથી,જાઓ માથુ ન ખાઓ.

અરજદાર મનસુખ શેઠિયાએ કલેકટરને લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇ-ધરાના નાયબ મામલતદાર હાર્દિક તોગડિયાએ અરજીનો જવાબ આપવાના બદલે અરજીની વિગત પણ ચકાસી ન હતી.તેમણે એન્ટ્રી ચેક કરી જરૂરી સુધારો કરવો જોઇએ જેથી સરકારનો રેકર્ડ સુસંગત થાય અને તેના માટે સરકારનો પણ પરિપત્ર છે તેવું જણાવવા છતાં નાયબ મામલદારે પરિપત્ર નથી,જાઓ માથુ ન ખાઓ તેવો જવાબ આપ્યો હોવાની રાવ કરી હતી.

અમેરિકા : કિલર કોરોનાના એક દિવસમાં ૨૪૧૧ કેસો
કોરોના સામે લડાઈ,ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ
ઇઝરાયેલી સુરક્ષા દળોને વાડ સાથે સંકળાયેલો દાણચોરીનો પાઇરેટ ગેટ મળ્યો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૦ કેસ સપાટી પર આવ્યા : ૩૪નાં મૃત્યુ થયા
સુરત શહેરમાં બે દિવસમાં ટોસીલીઝુમેબ ઇન્જેક્શનની અછત પુરી કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article જે કરવું હોય તે કરો, હું ઈન્દિરાની પૌત્રી, BJPની અઘોષિત પ્રવક્તા નથીઃ નોટિસ પર પ્રિયંકાનો જવાબ
Next Article ક્રાંતિકારી CHE GUEVARAનું જન્મસ્થળ વેચવા કઢાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up