વલસાડ, 16 જૂન : નવનિયુક્ત કલેકટર આર.આર.રાવલે 1 જૂને ચાર્જ લીધાં બાદ તેમના પિતાજીનું નિધન થયું હતું.દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની પરિસ્થિતિ જોતા લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી કલેકટરે પિતાની અંતિમક્રિયા અને અંતિમ દર્શન માટે જવાનું ટાળી ફરજ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠાનો દાખલો બેસાડ્યો હતો.હવે સદગત પિતાની બારમાની વિધિમાં સામેલ થવા કલેકટર 4 દિવસની રજા પર ગયા હોવાનું જાણવા મળ્યું છે.જેને લઇ ડીડીઓ અર્પિત સાગરને ચાર્જ સોંપવામાં આવ્યો છે.