કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરી છે,ત્યારે દિન-પ્રતિદિન સંક્રમણનો વ્યાપ વધતો જાય છે. રાજ્ય સરકારે પણ અગમચેતીના ભાગરૂપે કોવિડ-૧૯ હોસ્પિટલો તૈયાર કરવા દરેક જિલ્લાઓને સૂચના આપી છે.
વલસાડ જિલ્લામાં કોરોના વાયરસની સારવાર માટે તૈયાર કરાયેલી કોવિડ-૧૯ આઇસોલેશન હોસ્પિટલ શ્રેયસ મેડીકેર સંચાલિત જનસેવા મંડળ વાપી અધિકૃત મણિબેન નાગરજી મહેતા (વલવાડા) હોસ્પિટલની મુલાકાત ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને ચીફ એકઝીકયુટીવ ઓફિસર મુકેશકુમારે લીધી હતી. મુકેશકુમારે તમામ આઇસોલેશન વોર્ડ (મેલ/ફીમેલ), આઇ.સી.યુ., ફાર્મસી વિભાગ, ડાયાલીસીસ વગેરે વિભાગોની મુલાકાત લઇ હોસ્પિટલની સવલતોની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત વેળા જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ, પારડી પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ સાથે બેઠક યોજી જિલ્લાની આરોગ્યલક્ષી બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા