વલસાડ, 03 જૂન : સંભવિત વાવાઝોડાના પગલે અગમચેતીના પગલાં રૂપે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ. ભીમજીયાણીએ કરી હતી.વલસાડ કલેક્ટરાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં રહી સતત ડિઝાસ્ટર કંટ્રોલરૂમના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.સ્થળાંતરિત પરિવારોને શેલ્ટર હોમ ખાતે લઇ જવા માટે એસ.ટી. વિભાગનો ઉપયોગ કરવા તેમજ તેમના રહેવા-જમવાની વ્યવસ્થાંની સાથે કોવિડ-19ને અનુલક્ષીને અગમચેતીના ભાગરૂપે સેનેટાઇઝર તેમજ માસ્કની પૂરતી વ્યકવસ્થા રાખવા બાબતે પણ સંબંધિતોને સૂચના આપી હતી.વાવાઝોડાને ધ્યાને લઇ એપીએમસી બે દિવસ માટે સ્વૈેચ્છિક બંધ રાખે તેવી અપીલ પણ સચિવશ્રીએ કરી હતી.સ્થતળાંતર કરીને સલામત સ્થળે રાખવામાં આવેલા પરિવારોને કોઇ તકલીફ ન પડે તે માટે સંબંધિત ગામના સરપંચ અને તલાટીઓ પણ પોતાની જવાબદારી નિભાવે તે જરૂરી હોવાનું જણાવી મનરેગાના કામો પણ બે દિવસ માટે સ્થગિત રાખવા જણાવ્યું હતું. વાયરલેસ સેટ ધરાવતી કચેરીઓ તેમના વાયરલેસ ચેક કરી ચાલુ રહે તે જોવા જણાવ્યું હતું.
કોવિડ-19 હોસ્પિટલ સિવિલમાં કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે,ત્યારે વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સતત રાખવા જણાવ્યું હતું.ગ્રામ્ય વિસ્તારોમાં પણ જ્યાં લાઇટના પોલ પડી જાય તેવી સ્થિતિમાં હોય કે વાવાઝોડાને કારણે પડી જાય તો સત્વીરે બદલી નાંખી વીજ પુરવઠો ચાલુ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું.ડીજીવીસીએલ દ્વારા આ માટે જે તે વિસ્તારના કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.વલસાડ કલેક્ટ્રર આર.આર.રાવલે જિલ્લામાં કરાયેલી કામગીરી બાબતે પ્રભારી સચિવશ્રીને અવગત કર્યા હતા.વાવાઝોડાના પગલે જિલ્લામાં એન.ડી.આર.એફ.ની ટીમને તૈનાત કરી ફરજ સોંપણી કરી દેવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પોલીસ અધિક્ષક સુનિલ જોષી, નિવાસી અધિક કલેક્મર એન.એ.રાજપૂત, પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ,વન વિભાગ,દક્ષિણ ગુજરાત વીજ કંપની,બી.એસ.એન.એલ.,આરોગ્યમ,પાણી પુરવઠા,ખેતીવાડી અધિકારી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.