[weather_data]
Breaking News
TRENDING NEWS

વલસાડ જિલ્લામાં લોકડાઉન અંતર્ગત નિયંત્રણો અને પ્રતિબંધાત્મક આદેશો

[updated_date] [post_views]

Table of Content

વલસાડ, 01 : વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે.ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા. 30/06/2020 સુધી લોકડાઉન લંબાવાયું છે.કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પ્રતિબંધિત પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરાયો છે આ આમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનનો ચુસ્તરપણે અમલવારી કરવા માટે અને તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,ગુજરાત પોલીસ અધિનિયમ, અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે વલસાડ જિલ્લા મેજસ્ટ્રેટ સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા તા.01/06/2020 થી તા.30/06/2020 સુધી લોકડાઉન અંતર્ગત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યાં છે.જેનું જાહેર જનતાને ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જે અનુસાર સમગ્ર વલસાડ જિલ્લામાં રાત્રિના 9-00 થી સવારના 5-00 વાગ્યા સુધી કરફયુ રહેશે.આ કરફયુ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારે અથવા અર્ધ સરકારી એજન્સી કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી હોય તેમને લાગુ પડશે નહીં.સમગ્ર વલસાડ જિલ્લામાં માત્ર આવશ્યક સેવાઓ કન્ટાઇનમેન્ટ ઝોન/ માઇક્રો કન્ટાઇનમેન્ટ ઝોનમાં સવારે 7-00 થી સાંજના 7-00 સુધી ચાલુ રહેશે.

કન્ટાઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૈકી તમામ આર્થિક પ્રવૃત્તિઓ નગરપાલિકા/ શહેરી વિસ્તારમાં સવારે 8-00 થી સાંજના 7-00 સુધી તેમજ નગરપાલિકા હદ બહારના વિસ્તારમાં સવારે 8-00 થી સાંજના 8-00 વાગ્યા સુધી પ્રતિબંધિત વસ્તુઓ સિવાય દુકાનો ચાલુ રાખી શકશે.જે સતત ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉદ્યોગો સાથે સંકળાયેલા ઉદ્યોગોને લાગુ પડશે નહીં તેમજ ઉદ્યોગો 100 ટકા કેપીસીટી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શરૂ કરી શકશે.કામદારો,કર્મચારીઓ,દુકાન માલિકો કે જેનું રહેઠાણ કન્ટાઇનમેન્ટ ઝોન/ માઇક્રો કન્ટાઇનમેન્ટ ઝોનમાં છે તેઓ ઝોનની બહાર જઇ શકશે નહીં.

તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થા ચાલુ રાખી શકાશે નહીં, ફક્ત વહીવટી ઓફિસો ચાલુ રખાશે.જિમ્નેશીયમ,સીનેમા હોલ,મલ્ટીપ્લેક્ષ,મોટા મેળાવડા તથા ભીડ એકઠી થાય તેવા કોઇપણ પ્રકારના જાહેર કાર્યક્રમો,સાંસ્કૃતિક થીયેટર કાર્યક્રમો,સ્વીમિંગ પુલ,જાહેર બગીચા, ઝૂ,વોટર પાર્ક,એમ્યુઝમેન્ટ પાર્ક,પુરાતત્વીય સ્થળો,દરિયાકિનારો અને અન્ય પર્યટક સ્થળો,ઓડિટોરીયમ,એસેમ્બલી હોલ બંધ રહેશે.

તા.8મી જૂન, 2020 બાદ હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટ, ભોજનાલય, શોપિંગ મોલ તથા શોપિંગ મોલમાં આવેલી દુકાનો તેમજ ધાર્મિક સ્થળો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરી શકાશે.ધાર્મિક સ્થળો ઉપર પ્રસંગો તથા મોટા પ્રમાણમાં એકઠા થવા ઉપર પ્રતિબંધ રહેશે.ચા-કોફી સ્ટોલ,પાનની દુકાનો,સલુન,વાળ કાપવાની દુકાનો,બ્યુટી પાર્લર,ખાનગી ઓફિસ,તમામ રીપેરિંગ દુકાનો,ગેરેજ,વર્કશોપ,સર્વિસ સ્ટેશન, ખાનગી ઓફિસો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરી શકાશે.

સ્મશાનયાત્રામાં 20 વ્યક્તિઓ તેમજ લગ્ન પ્રસંગોમાં 50 વ્યક્તિઓ સામેલ થઇ શકશે. લાઇબ્રેરી તેમજ બસ સેવા 60 ટકા બેઠક સાથે શરૂ કરી શકાશે, પરંતુ બસમાં વ્યક્તિઓ ઊભા રાખીને પરિવહન કરી શકશે નહીં.ઓટોરીક્ષા,કેબ,ટેક્ષી,કેબ એગ્રેગેટર્સ,ખાનગી વાહનોમાં ડ્રાઇવર પ્લસ બે પેસેન્જર પરંતુ જો વાહન બેઠક ક્ષમતા 6 કે તેથી વધુ હોય તો ડ્રાઇવર પ્લસ ત્રણ પેસેન્જર સાથે પરિવહન શરૂ કરી શકાશે.ટુ-વ્હીલર ઉપર એક ડ્રાઇવર અને એક વ્યક્તિ બેસી શકશે. સમગ્ર વલસાડ જિલ્લામાં ખાલી ટ્રકો, માલસામાન સહિતની ટ્રકો/ કાર્ગોના આંતરરાજ્ય/ જિલ્લા પરિવહન માન્ય રહેશે,તેની અવરજવરને અટકાવાશે નહીં.65 વર્ષથી વધુ ઉંમરની વ્‍યક્તિાઓ,ગર્ભવતી મહિલાઓ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું ફરજિયાત છે.આવશ્યીક જરૂરિયાતો પૂરી કરવા તેમજ આરોગ્યાના કારણો માટે બહાર જઇ શકશે.

જાહેર સ્થળો અને કામકાજના સ્થળે તેમજ વાહન ચલાવતી વખતે માસ્ક પહેરી ચહેરો ઢાંકવાનો રહેશે.જાહેર રસ્તા ઉપર થૂંકવા ઉપર પ્રતિબંધ રહેશે.જેના ભંગ બદલ 200 રૂપિયા દંડ વસુલી કરાશે.જો કોઇ મુસાફર જાહેર થયેલા કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાલર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમણે નજીકની સરકારી હોસ્પિનટલ ખાતે તથા જિલ્લા હેલ્પઢલાઇન નંબર 104 ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

આરોગ્ય સેતુ એપનો મહત્તમ ઉપયોગ થાય તે હેતસુર ઉપયોગ કોરોના ચેપના સંભવિત જોખમ માટે સુરક્ષા કવચરૂપી અને ઓફિસ તથા કામના સ્થોળ ઉપર સલામતીની ખાતરી માટે તમામ કર્મચારીઓ પાસે આરોગ્યટ સેતુ એપ ઇન્ટોલ કરાવી તેની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે.એટલું જ નહીં તબીબી સહાય આપવાની સુવિધા સરળ રીતે થઇ શકે તે હેતુસર એપમાં દરેક વ્યાક્તિાએ તેમના આરોગ્યનની સ્થિ તિને નિયમિતપણે અપડેટ પણ કરવાની રહેશે.

આ હુકમ જે વ્યાકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્યય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં.સ્મેશાનયાત્રામાં 20 વ્યક્તિઓ અને લગ્ન પ્રસંગમાં 50 વ્ય્ક્તિકઓ જ હાજર રહી શકશે.કોઇપણ વ્યક્તિે લોકડાઉનના આ પગલાંનું તથા કોવિડ-૧૯ માટે નેશનલ ડિરેક્ટિનવ્સ મેનેજમેન્ટસનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ188 તેમજ ડિઝાસ્ટ-ર મેનેજમેન્ટલ એક્ટ-2005ની કલમ 51 થી 60 હેઠળની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles