વલસાડ, 17 જૂન : ઝરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા એકમો કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડતા ભૂગર્ભ મારફતે પાણી કુવા અને બોરમાં જતા પીવાના પાણી દૂષિત બન્યા છે. લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થતાં સ્થાનિકોએ ત્રણ કંપની વિરુદ્ધ જીપીસીબીને લેખિત ફરિયાદ કરી છે. ઉમરગામ તાલુકાના ઝરોલી ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા ત્રણ એકમો છેલ્લા કેટલાક સમયથી કેમિકલ યુક્ત પાણી ખુલ્લામાં છોડી રહ્યા છે. જે પ્રદૂષિત પાણી ભૂગર્ભ મારફતે આજુબાજુ ફળિયાના બોર અને કુવાના જતા પીવાના પાણી બન્યા છે. કંપની સંચાલકોને ગ્રામજનો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પ્રદૂષિત પાણી વહેતા બંધ કર્યા ન હતા. પીવાના પાણી પ્રદૂષિત બનતા લોકોના આરોગ્ય સામે જોખ ઉભું થાય તેમ હોય સ્થાનિકોએ સરીગામ જીપીસીબી કચેરી પહોંચી કંપની વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી છે. જીપીસીબી દ્વારા ઝરોલી અને આજુબાજુના વિસ્તારમાં આવેલી તમામ કંપનીમાં તપાસ કરે એ જરૂરી છે.