વલસાડ, 09 જૂન : નનકવાડામાં મંજૂર પ્લાન કરતા વધારાનું બાંધકામ કરવામાં આવતા મામલો કલકેટર અને ડીડીઓ સમક્ષ પહોંચ્યો છે.આ મુદ્દે સરપંચે મકાનના વધારાના અનઅધિકૃત બાંધકામને અટકાવવા નોટિસ આપી છતાં અમલ ન થતાં અરજદારે દાદ માગી છે.સરપંચે 2 નોટિસ આપી છતાં કામ બંધ થયુ નથી.
નનકવાડામાં નવા સર્વે નં.3604 સામે મિલકતના માલિક નટુભાઇ નારસિંહ રાવત હાલે અમેરિકામાં રહે છે.જેની દેખરેખ રાખતાં અશ્વિન મનુભાઇ ભડાકિયાએ કલેકટર અને ડીડીઓને કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ નટુભાઇની મિલકતના પ્લોટ સામે આવેલી મિલકત વેચાણે અપાયેલી છે.જેમાં વધારાનું ગેરકાયદે બાંધકામ થતાં 14 ફેબ્રુઆરી 2020ના રોજ આ બાંધકામ રોકવા નનકવાડાના સરપંચે બાંધકામ કરનારને નોટિસ આપી હતી.ત્યારબાદ અરજદાર દ્વારા 23 માર્ચ 2020ના રોજ તલાટી અને સરપંચને આ બાંધકામ અટકાવવા અરજી કરી હતી.સરપંચે 2 જૂન 2020ના રોજ પૂન: અરજી કરી બાંધકામ રોકવા લેખિત માગ કરી હતી છતાં બાંધકામ ચાલૂ હોવાથી 5 જૂન 2020ના રોજ અરજદાર દ્વારા કલેકટર અને ડીડીઓ સહિત ઉચ્ચ સ્તરે ફરિયાદ અરજી કરી આ વધારાનું બાંધકામ બંધ કરાવવા દાદ માગી છે.