વલસાડ 09 જૂન : વાપી અને વલસાડ શહેરમાં ભક્તોની પાંખી હાજરી વચ્ચે ધાર્મિક સંસ્થાનો ખુલ્યા હતા.બીજી તરફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટના સંચાલકોએ બે દિવસ પછી ડાયનિંગ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.સોમવારે પણ રાબેતા મુજબ હોટલમાંથી ખાદ્ય પદાર્થના પાર્સલો જ આપવામાં આવ્યા હતા.મંદિરો સોમવારે સરકારી ગાઇડ લાઇન મુજબ ખુલ્યા હતા.કોરોના સંક્રમણના ડરને લઇ ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.તો કેટલાક મંદિરો માત્ર સવાર સાંજની આરતી માટે જ ખોલવામાં આવ્યા હતા.આ ઉપરાંત શોપિંગ મોલમાં પણ સોશિયલ ડિસ્ટંસ્નિંગ,માસ્ક અને સેનેટાઇઝ બાદ ગ્રાહકોને અંદર પ્રવેશ અપાયો હતો.વાપીમાં અંદાજિત 80થી વધુ હોટલ એન્ડ રેસ્ટોરન્ટે પ્રથમ દિવસે જમીને બેસાડવાનું ટાળ્યું હતું.હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ હાલમાં ગ્રાહકી ઓછી હોવાથી માત્ર પાર્સલ સેવા જ ચાલું રાખવામાં આવી છે.હોટલમાં જમવાનું બનાવવાથી લઇને ફુડ સર્વે કરવા સુધીનો સ્ટાફ વતન ભેગો થઇ ગયો છે.સ્ટાફ ઓછો હોવાથી પણ કેટલીક હોટલમાં ડાયનિંગ સેવા શરૂ કરવામાં આવી નથી.